એક હાથણીના મોતની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે ત્યારે કેરળમાં વધુ એક ગર્ભવતી હાથણીનું મોત થયાની ઘટના સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે કોલ્લમમાં જિલ્લામાં જંગલોમાં આ પ્રકારની ઘટનામાં એક હાથણીએ જીવ ગુમાવવો પડ્યો હતો.
કેરલમાં વધુ એક હાથણીના મોતની ઘટના
જડબામાં ફ્રેક્ચર થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું
ફટાકડાથી જ મોત થયાંની આશંકા
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટમ દ્વારા ખબર મળ્યા હતા કે, હાથણીના જડબામાં ફ્રેક્ચર થયું હતું. આ ફ્રેક્ચર તેના ખોરાકમાં આવેલી કોઇ ચીજને કારણે જ આવું થઇ શકે છે. જો કે, મોતનું ખરેખર કારણ જાણી શકાયું નથી.
ફટાકડાને કારણે જ આ ઘટના બની હોવાની આશંકા
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક વિશ્લેષણ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે, જો કે અમને શંકા છે કે, ફટાકડાના કારણે આ ઘટના બની હોવી જોઇએ. અધિકારીઓને આ માદા હાથી પઠાનપુરમના જંગલોમાં એક જલધારા નજીકથી મળી હતી. તેણી ખૂબ જ અશક્ત હતી. તેને દવા આપ્યા બાદ કેટલાક કિલોમીટર સુધી તે ચાલી પરંતુ તે ફસાડાઇ પડી હતી.
આજે સવારે જ એક હાથણીનું ફટાકડા ભરેલ અનાનસ ખાવાને લીધે થયું છે મોત
કેરળમાં એક અમાનવીય ઘટના સામે આવી છે. જેમાં કેટલાંક તોફાની તત્વોએ એક ગર્ભવતી હાથણીને ફટાકડાથી ભરેલ અનાનસ ખવડાવી દીધું. ફટાકડા હાથણીના મોઢામાં ફુટયા અને હાથણીના ગર્ભમાં રહેલ બાળક સહિત તેનું મોત થયું છે. આ દુઃખભરી દૂર્ઘટના વન વિભાગના એક અધિકારીએ આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થઇ જતાં લોકોનો ગુસ્સાનો પાર ન રહ્યો.
મલપ્પુરમ જિલ્લામાં બની હતી ઘટના
આ મામલો મલપ્પુરમ જિલ્લાનો છે. ગર્ભવતી ભૂખી હાથણી ભોજનની શોધમાં જંગલની બહાર આવી ગઇ હતી. તે એક ગામમાં ભોજનની શોધ માટે ભટકી રહી હતી. કેટલાંક સ્થાનિક લોકોએ તેની સાથે મજાક કરી અને તેના અનાનસમાં ફટાકડા ભરી ખવડાવી દીધું. ભુખથી બેહાલ હાથણીએ તે અનાનસ ખાઇ લીધુ અને થોડા જ સમયમાં તેના પેટની અંદર ફટાકડા ફુટવા લાગ્યાં.
કેરળના મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
Strict action will be taken against those who are responsible for killing the pregnant elephant. Forest department is probing the case and the culprits will be brought to book: Pinarayi Vijayan, Kerala CM on elephant's death in Malappuram after being fed cracker-stuffed pineapple pic.twitter.com/G6AoUtJNFS
કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું કે, હાથણીના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે, "વન વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." આ સાથે ગુનેગારોના નામ જણાવનારે 50 હજારને ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.