ગુજરાતનાં પ્રવાસનધામ અને પ્રાગૈતિહાસિક મંદિર અંબાજી મંદિરના શિખરને સુવર્ણ બદ્ધ કરવા એક બિન નિવાસી ભારતીયએ રૂપિયા 48 લાખના સોનાનું દાન કર્યું છે.કોરોનાકાળની બીજી લહેર બાદ આ મંદિરને અપાયેલું કદાચ સૌથી મોટું દાન છે.
મા અંબાને સોનાનું દાન
48 લાખ રૂપિયાનું સોનું દાન કરાયું
સુવર્ણમય શિખર માટે દાન અપાયું
અંબાજી મંદિરને 1 કિલો સોનાનું દાન
હવે,અંબાજી મંદિરને બિન નિવાસી ભારતીય દ્વારા મળેલા 1 કિલો સોનાના દાન અને આગામી નવરાત્રી- દિપાવલીના પર્વો દરમિયાન ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થધામને વધુ અનુદાન મળવાની સંભાવનાઓને નકારી શકાય નહીં.
મંદિર પર સુવર્ણ શિખર બનાવવા ભક્તો આપી રહ્યા છે દાન
અત્યાર સુધી મા અંબાના સુવર્ણ શિખરમાં 140 કિલો 435 ગ્રામ સોનુ 15 હજાર 711 કિલો તાંબુ વપરાયું છે. ત્યારે મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા અનેક ભક્તો દાનની સરવાણી વહાવી રહ્યા છે ત્યારે ભક્તો થકી માં અંબાનું મંદિર જલ્દી સુવર્ણમય બનશે એવી આશા સેવાઇ રહી છે.
કોરોનાને લીધે મંદિરો કરાયા હતા બંધ
છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ લગભગ મૃત:પ્રાય થયો છે. ગુજરાતનાં પ્રવાસન વિભાગને લગભગ 1000 કરોડથી વધુનું નુકસાન થયું છે. તો ગુજરાતનાં યાત્રાધામોને પણ મોટો ફટકો પડ્યો છે. ક્યાંક ઓન લાઇન અનુદાન પણ મળ્યા છે. પરંતુ સરવાળે, ટ્રસ્ટના મંદિર યાત્રાળુ વિહીન રહ્યાં. ગત દિવાળીના દિવસોમાં મળેલી થોડી છૂટ છાટના પરિણામે પ્રવાસન સ્થળ કે યાત્રાધામોને થોડી રાહત મળી. પરંતુ ઝડપથી આવેલી બીજી લહેરના કારણે ના તો યાત્રાળુઓ આવ્યા કે ના તો કોઈ દાન.