અંબાજી માતાના ભક્તે 1 કિલો સોનાનું દાન કર્યું હતું. માતા અંબાનું સોનાના શિખરની કામગીરી અત્યાર સુધી 61 ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ થઈ છે.
અંબાજી મંદિર સોનુ અર્પણ કરાયું
51 લાખ 54 હજાર 600 રૂપિયાના સોનાનું દાન
સુવર્ણમય શિખરની કામગીરી માટે યોગદાન
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે અંબાજી માતાના ભક્તે 1 કિલો સોનાનું દાન કર્યું હતું. માતા અંબાનું સોનાના શિખરની કામગીરી અત્યાર સુધી 61 ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ થઈ છે.
અત્યાર સુધી મા અંબાના સુવર્ણ શિખરમા 140 કિલો 435 ગ્રામ સોનુ 15 હજાર 711 કિલો તાંબુ વપરાયું છે. ત્યારે મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા અનેક ભક્તો દાનની સરવાણી વહાવી રહ્યા છે ત્યારે ભક્તો થકી માં અંબાનું મંદિર જલ્દી સુવર્ણમય બનશે એવી આશા સેવાઇ રહી છે.