Coronavirus / ભારતમાં કોરોના વાયરસથી આ રાજ્યમાં થયું વધુ એકનું મોત, મૃતાંક 11એ પહોંચ્યો

Another death in maharashtra has been reported from the corona virus in India, killing 11

કોરોના વાયરસને પગલે દેશમાં વધુ એક મોત નિપજ્યુ છે. કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં અત્યારે કોરોનાના 511 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 11 લોકોના મોત નિપજ્યા છે. સૌથી વધારે કેસ તથા મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યારે 101 કેસ નોંધાયા છે. જ્યારે 11મું મોત પણ મહારાષ્ટ્રમાં જ થયું છે. જ્યારે કેરળમાં 97 કેસ સામે આવ્યા છે. જ્યારે 23થી વધારે રાજ્યોમાં કોરોના વાયરસ ફેલાયો છે. કોરોનાને લીધે 30 જેટલા રાજ્યોને લોકડાઉન કરવામાં આવ્યા છે. તો કુલ 548 જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં પણ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. મહારાષ્ટ્ર અને પંજાબમાં તો કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ