કોરોના વાયરસને પગલે દેશમાં વધુ એક મોત નિપજ્યુ છે. કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં અત્યારે કોરોનાના 511 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 11 લોકોના મોત નિપજ્યા છે. સૌથી વધારે કેસ તથા મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યારે 101 કેસ નોંધાયા છે. જ્યારે 11મું મોત પણ મહારાષ્ટ્રમાં જ થયું છે. જ્યારે કેરળમાં 97 કેસ સામે આવ્યા છે. જ્યારે 23થી વધારે રાજ્યોમાં કોરોના વાયરસ ફેલાયો છે. કોરોનાને લીધે 30 જેટલા રાજ્યોને લોકડાઉન કરવામાં આવ્યા છે. તો કુલ 548 જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં પણ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. મહારાષ્ટ્ર અને પંજાબમાં તો કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે.
ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 511એ પહોંચી
ગુજરાતમાં કોરોનાના કુલ 33 કેસ નોંધાયા
4 રાજ્યોમાં કર્ફ્યૂ અને અન્ય રાજ્યોમાં 31 માર્ચ સુધી લૉકડાઉન
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
65 વર્ષીય કોરોનાના દર્દીનું મોત નિપજ્યું
ભારતમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યારે 101 કેસ નોંધાયા છે. જ્યારે 11મું મોત પણ મહારાષ્ટ્રમાં જ થયું છે. મહારાષ્ટ્રના મુંબઈમાં 65 વર્ષીય કોરોનાના દર્દીનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Maharashtra: A 65-year-old Coronavirus patient from UAE passed away in Mumbai yesterday. He was admitted in Kasturba Hospital. https://t.co/PSz1nXNavV
કર્ણાટકમાં 4 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેના કારણે કર્ણાટકમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 37 થઈ ગઈ છે. આ ઉપરાંત મણીપુરમાં એક કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે. યૂકેથી પાછી ફરેલી યુવતી કોરોનાગ્રસ્ત હતી. દેશભરમાં કોરોનાની સંખ્યા 511 થઈ ગઈ છે.
ગુજરાતમાં વકરી રહ્યો છે કોરોના
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગઈકાલથી આજ સુધીમાં 4 વધુ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.સુરત અને ગાંધીનગરમાં 2-2 પોઝિટિવ કેસ નોંધાતા ગુજરાતનો આંક 33 એ પહોંચ્યો છે. કોરોનાને હરાવવા માટે ગુજરાતમાં પણ 31 માર્ચ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. જે લોકો હાલમાં કામ વિના બહાર નીકળી રહ્યા છે તેમને ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ જે લોકો પોલીસને સહયોગ નથી આપી રહ્યા તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી રહી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ના સંશોધનથી બહાર આવ્યું છે કે હોમ ક્વોરેન્ટાઇન જેવા સામાજિક અંતરનાં ધોરણોને સખત રીતે પાલન કરીને કોરોનાની અસરને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. અભ્યાસ અનુસાર આટલું સખ્તાઇથી કરવાથી સંભવિત કેસોની સંખ્યામાં 62 ટકાનો ઘટાડો થાય છે અને વધતા કેસની સંખ્યામાં 89 ટકાનો ઘટાડો થઈ શકે છે.
આ રાજ્યોમાં આજથી લાગૂ થયો કર્ફ્યૂ
કોરોના વાયરસને કારણે પંજાબ, પોંડિચેરી અને તે પછી મહારાષ્ટ્રમાં પણ કર્ફ્યુની જાહેરાત કરવામાં હતી, જ્યારે સોમવારે મુખ્યમંત્રી પદ સંભાળનારા શિવરાજસિંહ ચૌહાણે ભોપાલ અને જબલપુરમાં મોડી રાતે કર્ફ્યુની વાત કરી હતી.
30 રાજ્યોમાં લાગૂ કરાયું લૉકડાઉન
ચંડીગઢ, દિલ્હી, ગોવા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, લદ્દાખ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ત્રિપુરા, તેલંગાણા, છત્તીસગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મેઘાલય, મણિપુર, તામિલનાડુ, કેરળ, હરિયાણા, દમણ- દીવ, દાદર અને નગર હવેલી, પુડુચેરી, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ, ગુજરાત, કર્ણાટક અને આસામ સંપૂર્ણ રીતે સોમવાર રાતથી લૉકડાઉન રહેશે. આ સિવાય ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા અને લક્ષદ્વીપમાં આંશિક બંધ રહેશે.
અત્યારસુધી 650 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન રખાયા છે. જેમાં ગાંધીનગર 223, સુરતમાં 590 વ્યક્તિઓ હમ ક્વોરન્ટાઈન છે. જ્યારે અમદાવાદમાં હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન 300 દર્દીઓ છે. રાજ્યમાં કુલ 6 હજાર 92 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો છે.
કોરોના વાયરસથી હિમાચલ પ્રદેશમાં પ્રથમ મોત થયું છે. અમેરિકાથી પરત ફરેલ તિબ્બતના એક નાગરિકનું મોત થયું છે. મૃતકની ઉંમર 69 વર્ષથી. તબિયત ખરાબ હોવાથી તેના કાંગડાની એક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ટાંડા મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યા. જ્યાં તેમનું મોત થયું
દેશમાં કોરોના વાયરસથી 9મું મોત, પ.બંગાળમાં 55 વર્ષના વ્યક્તિનું મોત
દેશમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પશ્ચિમ બંગાળમાં 55 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. આ જીવલેણ બીમારીના કારણે દેશમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. તો કોરોના પીડિતોની સંખ્યા 433 થઇ ચૂકી છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 50થી વધુ નવા કેસ અને 4 લોકોના મોત નીપજ્યા છે.
After reviewing situation with Chief Secretary & @DGPPunjabPolice, announced full curfew with no relaxations. DCs have been asked to issue orders accordingly. Any person required to be given relaxation will be so allowed specifically for given period & purpose. pic.twitter.com/uX5ZnMTFmB
કોરોના વાયરસને પગલે સમગ્ર પંજાબમાં કર્ફ્યૂ લાગ્યો છે. કોરોના સંકટને લઈને પંજાબ કર્ફ્યૂ લગાવનારું પહેલું રાજ્ય બન્યું છે. અને વિશેષ સ્થિતિમાં જ લોકોને જવા માટે છૂટ અપાશે.રાજ્યના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબમાં કરર્ફ્યૂ લગાવાનો આદેશ આપી દીધો છે આ સાથે જ પંજાબમાં કર્ફ્યૂમાં કોઇ ઢીલ નહીં આપવામાં આવે તેવું પણ કહ્યું છે.
દિલ્હીમાં 31 માર્ચ સુધી લૉકડાઉનઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આવતીકાલથી 31 માર્ચ સુધી દિલ્હીમાં લૉકડાઉન. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. ડીટીસીની 25 ટકા બસો ચાલશે. દિલ્હીની દુકાનો, બજાર બધુ બંધ રહેશે. દિલ્હીની બોર્ડર સીલ રહેશે પરંતુ બીજા રાજ્યોથી ખાવા-પીવાનો સામાન અને શાકભાજી લાવનાર વાહનોને મંજૂરી અપાશે. તમામ ફ્લાઇટ્સ બંધ, ધાર્મિક સ્થળો બંધ રહેશે.