દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી ધમાકેદાર જીત બાદ હવે પાર્ટીના મિશન ગુજરાત માટે દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતની મુલાકાતે આવ્યા છે
આજે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા
સાંજે કેજરીવાલ અને માન ગુજરાત આપના નેતાઓ સાથે બેઠક કરશે
ગઈકાલે AAPના 8 નેતાઓ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા
વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતાં.
સાંજે ગુજરાત આપના નેતાઓ સાથે બેઠક કરશે
બાદમાં આજે સાંજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આપના નેતાઓ સાથે બેઠક કરશે. વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે પદાધિકારીઓ સાથે બેઠક કરશે. પ્રદેશના પદાધિકારીઓ અને કોર કમિટી સાથે કેજરીવાલની બેઠક કરશે. કેજરીવાલ અને માન આજે સાંજે દિલ્હી પરત ફરશે.
AAPના 8 નેતાઓ પક્ષમાંથી સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે ત્યારે જ આમ આદમી પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ આમ આદમીના પાર્ટીના 8 નેતાને સસ્પેન્ડ કરી દીધા છે.આ તમામ 8 સભ્યોને આણંદમાં વિવિધ હોદાઓ સોંપીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.