દેશના પશ્ચિમી દરિયા કિનારા પર તૌકતેના કેર બાદ હવે પૂર્વી દરિયા કિનારા પર યાસ નામનું નવું તોફાન સર્જાઈ રહ્યું છે.
યાસ નામનું વાવાઝોડું ત્રાટકશે
ઓડિશા,બંગાળ,મેઘાલ પર યાસનો ખતરો
ગુજરાત પર નહીવત અસર
26 મે એ બંગાળમાં ટકરાશે
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમાર જેનામનીએ જણાવ્યું કે આંદોમાનના ઉત્તરીય ભાગ અને પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં યાસ નામનું બીજું એક વાવોઝોડું સર્જાઈ રહ્યું છે. 22 મેના દિવસે લો પ્રેશર અને 23 મીએ ડિપ્રેશન શરુ થશે. 24 અને 25 મેના રોજ યાસ ચક્રવાતી તોફાન બની જશે. તથા 26 મે ની આસપાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે તથા ત્યાં ભારે વરસાદ થશે.
યાસ નામે કયા દેશે આપ્યું
26 મે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં આવનારુ વાવાઝોડાને યાસ નામ અપાયું છે અને તે ઓમને આપ્યું છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી એમ.રાજીવને જણાવ્યું કે 23 મે ના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી સર્જાશે. તે ચક્રવાતમાં ફેરવાશે અને ઓડિશા તથા પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે.
#WATCH | Delhi receives light rain. Visuals from Janpath area.
IMD says that Delhi will witness 'generally cloudy sky with moderate rain' today. pic.twitter.com/WKIbeXzn0O
કયા રાજ્યો પર ખતરો
યાસ વાવાઝોડોને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને આસામ પર અસર પડશે. ગુજરાત પર તેની નહિવત અસર થવાની ધારણા છે.
શું છે તૌકતેની સ્થિતિ
MET, અમદાવાદના પ્રભારી ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે તૌકતે હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસે છે અને ત્યાંથી તે યુપી જતું રહેશે. ગુજરાતમાં હાલમાં સામાન્ય સ્થિતિ છે. કેટલાક ઠેકાણે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ચક્રવાતને કારણે ચોમાસા પર કોઈ અસર નહીં પડે.
દિલ્હીમાં વરસાદ
રાજધાની દિલ્હીમાં તૌકતની અસરને કારણે જનપથમાં હળવો વરસાદ પડ્યો છે. જોકે હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસે રહેલા તૌકતને શક્તિ ખૂબ નબળી પડી ગી છે.