સુરતમાં સૂર્યા એક્ઝિમ નામની કંપનીએ નાદારી નોંધાવતાં વિવિધ બેન્કોના રૂા.183 કરોડ પણ ડૂબ્યાં છે.
સુરતમાં વધુ એક કંપનીએ નોંધાવી નાદારી
સૂર્યા એક્ઝિમ કંપનીએ નોંધાવી નાદારી
વિવિધ બેંકોના રૂ.183 કરોડ ડૂબ્યા
સુરતમાં વધુ એક કંપનીએ નોંધાવી નાદારી
ભારતમાં કરોડો રૂપિયાનું દેવું કરીને નાસી છૂટેલા ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદીની જેમ જ બેન્કો સાથેની છેતરપિંડીનો એક નવો કેસ નોંધાતાં ગુજરાતના સુરતમાં નોધાયો છે. સુરત સ્થિત કોલ અને યાર્નના વેપાર સાથે સંકળાયેલી સૂર્યા એક્ઝિમ નામની કંપની નાદારી નોધાવી છે. જેમાં વિવિધ બેન્કોના રૂા.183 કરોડ ડૂબ્યાં છે.
બેંકોએ કંપની મિલકતો ટાંચમાં લઇ હરાજીની કાર્યવાહી શરૂ કરી
સૂર્યા એક્ઝિમ નામની કંપનીએ નાદારી નોંધાવતા કેનરા બેન્ક, બેન્ક ઓફ બરોડા સહિતની બેન્કોના રૂા.183 કરોડ સલવાયા છે. જેના પગલે બેન્કોએ કંપની સી.એ. જગદ્દીશ સાબુની મિલક્તો ટાંચમાં લઈને હરાજીની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યા એક્ઝિમનામની કંપની સી.એ. જગદીશ સાબુ અને તેમના પત્ની અર્ચના સાબુ કંપનીના કર્તાહર્તા હતાં.
થોડા દિવસ પહેલા ABG શિપયાર્ડનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરત અને હજીરાસ્થિત એબીજી શિપયાર્ડ લિમિટેડ સામે રૂપિયા 22,842 કરોડનો ભારતની સૌથી મોટી કથિત બેન્ક છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.
મહત્વનું છે કે, જહાજ બાંધવાનું અને જહાજના રિપેરિંગનું કામ કરતી સુરત અને હજીરા સ્થિત કંપની એબીજી શિપયાર્ડે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ સહિત કુલ 28 બેન્કો પાસેથી લોન મેળવી હતી.