પાટીદાર અને કોળી સમાજ બાદ હવે આદિવાસ સમાજ દ્વારા તેમના સમાજના મુખ્યમંત્રીની માગ કરી છે. આ મામલે ભરુચના સાંસદ સભ્ય મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા દ્વારા લોકો સમક્ષ પોતાની વાત મૂકી છે.
વધું એક જ્ઞાતિવાદી સીએમની માગ
મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
NGO સામે કર્યા ગંભીર આક્ષેપો
ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. દર વખતે ચૂંટણીને લઈને અલગ અલગ મુદ્દાઓ જોવા મળતા હોય છે. પરંતુ આ વખતે મુદ્દો જ્ઞાતીવાદી સીએમનો છે. છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ અને કોળી સમાજ દ્વારા માગ કરવામાં આવી રહી છે. કે તેમની જ્ઞાતીમાંથી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે.
સોશિયલ મીડિયા થકી લોકો સમક્ષ વાત મુકી
ત્યારે વધુંમાં હવે આદિવાસી સમાજ દ્વારા પણ એવી માગ કરવામાં આવી છે, કે મુખ્યમંત્રી તેમની જ્ઞાતિમાંથી બનાવામાં આવી છે. ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા થકી પોતાની વાતને લોકો સમક્ષ મુકી છે.
સમાજમાં સંગઠનનો અભાવનો ઉલ્લેખ
મનસુખ વસાવાએ એવું કહ્યું છે કે જો સમાજના સીએમ બનવાથી પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવું લોકોને લાગતું હોય તો તે વાતમાં કોઈ તથ્ય નથી. વધુંમાં તેમણે એવું કહ્યું છે કે જો સમાજનો વિકાસ કરવો હોય તો પક્ષથી ઉઠીને એકમંચ પર આવવું પડશે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે આદિવાસી સમાજમાં સંગઠનનો અભાવ છે.
NGO સામે આક્ષેપ
સમગ્ર મામલે આદિવાસી સમાજના મુખ્યમંત્રીની માગ સાથે મનસુખ વસાવાએ એવું કહ્યું છે કે સરકાર દ્વારા આદિવાસીઓને પૂરી સહાચ આપવામાં આવે છે. આદિવાસીઓના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા આપે છે. પરંતુ આ સાથેજ તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે વનબંધુ કલ્યાણ યોજનામાં NGO કરોડો રૂપિયા વાપરી નાખે છે.
ભાજપ સામે મોટો પડકાર
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પડઘાઓ અત્યારથી પડી રહ્યા છે. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. દર વર્ષે ભાજપ સામે માત્ર કોંગ્રેસનો પડકાર રહેતો હતો. પરંતુ આ વર્ષે ભાજપ સામે આમ આદમી પાર્ટીનો પણ મોટો પડકાર છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી જ્ઞાતિવાદી સીએમની માગ ઉઠી છે જે ભાજપ માટે એક ગંભીર પ્રશ્ન બન્યો છે.