આ રાજ્યમાં બ્લેક ફંગસના 32 દર્દી એવા મળ્યા છે જેમને ક્યારેય કોરોના થયો જ નથી. આ સંખ્યાએ ચિંતા વધારી છે.
પંજાબમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 158થી વધારે દર્દી
બ્લેક ફંગસના 32 દર્દી એવા છે જેમને ક્યારેય કોરોના થયો જ નથી
બીજી બિમારીઓની સારવાર દરમિયાન સ્ટેરોઈડ્સ આપવામાં આવ્યા
પંજાબમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 158થી વધારે દર્દી
કોરોના વાયરસને હરાવી સાજા થનારા દર્દીઓ બ્લેક ફંગસની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનાના દર્દીઓ માટે નવી બિમારી માથાનો દુઃખાવો બની છે. પરંતુ હાલમાં તેનાથી વધારે ડરાવના સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં પંજાબમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 158થી વધારે દર્દી સામે આવી ચૂક્યા છે. પરંતુ તેમાંથી 32 દર્દી એવા છે જેમને ક્યારેય કોરોના થયો જ નથી. આ વાતથી સમાન્ય લોકોની ચિંતામાં વધારો થયો છે.
બીજી બિમારીઓની સારવાર દરમિયાન સ્ટેરોઈડ્સ આપવામાં આવ્યા
અત્યાર સુધી મનાઈ રહ્યુ હતુ કે જે લોકોને કોરોના થયો છે જેમને સારવાર દરમિયાન સ્ટેરોઈડ્સ આપવામાં આવ્યા હતા. જેનાકારણે તેમનામાં બ્લેક ફંગસનું સંક્રમણ ફેલાયુ છે. પરંતુ ડોક્ટરોનું કહેવુ છે કે આ 32 દર્દી એવા છે જેમને બીજી બિમારીઓની સારવાર દરમિયાન સ્ટેરોઈડ્સ આપવામાં આવ્યા હતા. એવું નથી કે કોરોનામાંથી સાજા થનારાઓમાં બ્લેક ફંગસનું સંકટ છે.
બ્લેક ફંગસ સ્પર્શવાથી નથી ફેલાતો
એક ન્યૂઝ રિપોર્ટ મુજબ બ્લેક ફંગસ માટે પંજાબમાં નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. ડો. ગગનદીપ સિંહ કહે છે કે જે વ્યક્તિની ઈમ્યુનિટી નબળી છે . તેમને આ બિમારીનો ખતરો છે. તે જણાવે છે કે બ્લેક ફંગસ સ્પર્શવાથી નથી ફેલાતો અને સમયસર તેની ખબર પડી જાય તો તેની સારવાર શક્ય છે. કોઈ પણ વ્યક્તિ જેને કોઈ બિમારીની સારવાર દરમિયાન સ્ટેરોઈડ આપવામાં આવ્યા છે તે બ્લેક ફંગસનો શિકાર બની શકે છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં 19મેએ આને મહામારી જાહેર કરવામાં આવી છે.
ડાયબિટીસના દર્દીને વધારે સંકટ
સામાન્ય રીતે જે લોકોમાં ઈમ્યુનિટી બહું ઓછી હોય છે મ્યુકોરમાઈકોસિસ તે લોકોને ઝડપથી પોતાનો શિકાર બનાવે છે. કોરોના દરમિયાન અથવા સાજા થયેલા દર્દીઓની ઈમ્યુનિટી સિસ્ટમ બહુ નબળી હોય છે પરંતુ તે સરળતાથી તેની ઝપેટમાં આવી રહ્યા છે. સામાન્ય રીતે કોરોનાના જે દર્દીઓને ડાયબિટીસ છે શુગર લેવલ વધી જવા પર તેમને મ્યુકોરમાઈકોસિસન ખતરનાક રુપ લઈ શકે છે.