દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ વિસ્તાર ધરમપૂર અને કપરાડાના વન બંધુઓને સિંચાઈ અને પાણીની સુવિધા મળી રહે તે માટે બહુહેતુક યોજનાને મંજૂરી આપી છે
કપરાડા-ધરમપુર માટે 797 કરોડની યોજનાને મંજૂરી
797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને CMની મંજૂરી
37 આદિજાતિ ગામોની 34 હજાર એકર જમીનને લાભ થશે
રાજ્યમાં આદિજાતિ વિકાર અને તેમના વિસ્તારને લઈ મખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ વિસ્તાર ધરમપૂર અને કપરાડાના વન બંધુઓને સિંચાઈ અને પાણીની સુવિધા મળી રહે તે માટે બહુહેતુક યોજનાને મંજૂરી આપી છે.
797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને CMની મંજૂરી
મુખ્યમંત્રીએ 797 કરોડ રૂપિયાની લિફ્ટ ઈરીગેશન ઉદવહન સિંચાઈ યોજાનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનબંધુ વિસ્તારોમાં ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિજાતિ લોકો વધુ ખેતી પાક લઇ આર્થિક સમુદ્ધિ તરફ વળે તેમજ પીવાના પાણીની અછત પણ દૂર થાય તેવી સંવેદના દર્શાવી છે.
163 કિ.મી પાઇપ લાઇન નેટવર્કથી અપાશે પાણી
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે દમણગંગા જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરીને જમણાકાંઠા મેઇન કેનાલમાં નાખવાથી કેનાલ ડિસચાર્જ વધારીને ધરમપૂર-કપરાડાના ગામોને પાણી આપવા આવશે આ લિફ્ટ ઇરીગેશન-ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત કુલ 163 કિ.મી. પાઇપલાઇન નેટવર્કથી દુર્ગમ આદિજાતિ વિસ્તારોની 34 હજારથી વધુ એકર જમીનને લિફ્ટ ઈરીગેશનનો લાભ મળશે અને કપરાડાના 24 ગામોની આશરે 19 હજાર એકર જમીનને સિચાઈની સુવિધા મળશે તેમજ ધરમપૂરના 13 ગામોની અંદાજે 13,450 એકર જમીનને પણ સિંચાઈની સુવિધા મળશે થશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
દમણગંગા જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરાશે
વલસાડ જિલ્લાના આ બે કપરાડા અને ધરમપૂર તાલુકા દમણગંગા જળાશયની ઉત્તર દિશાએ વસેલા છે. રાજ્યમાં અહીં વધુ વરસાદ પડતો હોવા છતાં ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આ વિસ્તારમાં કોઇ જળસંગ્રહ સંશાધનો નથી. એટલું જ નહીં, ભૌગોલિક કારણસર હજુ પણ પિયત સુવિધાથી આ વિસ્તારો વંચિત છે અને ઉનાળામાં પીવાના પાણીની પણ અછત આ વિસ્તારમાં વર્તાય છે. તેમજ આ બે તાલુકાઓ ડુંગરાળ હોવાથી નહેરનું પાણી ત્યાં પહોચાડવું શક્ય નથી તેમજ દમણગંગા જળાશયની નહેર પણ અહિના નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે.
અંતરિયાળ વિસ્તારોને મળશે લાભ
મહત્વનું છે કે આ યોજના શરૂ થતા ધરમપૂર અને કપરાડાના વન બંધુઓને પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની સુવિધા મળશે તેમજ દમણગંગા અને જળાશયમાંથી લિફ્ટ ઈરીગેશન પદ્ધતિનો લાભ પણ મળશે. જેના થકી સરહદે આવેલા અંતરિયાળ આદિજાતિ વિસ્તારને 163 કિ.મી પાઇપ લાઇન નેટવર્કથી પાણી પહોંચાડાશે.