કોરોના રસીકરણને લઈ ગુજરાતની વધુ એક સિદ્ધિ સાથે અત્યાર સુધીમાં 4 કરોડ રસીના ડોઝ અપાયા, 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 97 લાખ 38 હજાર 764 ને બીજો ડોઝ
કોરોના રસીકરણને લઈ ગુજરાતની વધુ એક સિદ્ધિ
રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ રસીના ડોઝ અપાયા
3 કરોડ 3 લાખ 22 હજાર 944 લોકોને રસીનો પ્રથમ ડોઝ
ગુજરાતમાં કોરોનાની વેક્સિનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના રસીકરણને લઈ ગુજરાતે વધુ એક સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં અત્યાર સુધી 4 કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તો 97 લાખ 38 હજાર 764 ને બીજો ડોઝ અપાયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય કરાયો છે. જેમાં 8 મનપામાં 28 ઓગસ્ટ સુધી નાઇટ કર્ફ્યુ લંબાવાયું છે. રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય : 8 મનપામાં 28 ઓગસ્ટ સુધી નાઇટ કર્ફ્યુ લંબાવાયું, રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે#gujarat@CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2021
સમયમાં કોઈ છૂટ ન મળી
નોંધનીય છે કે ગુજરાતીઓને રાત્રિ કર્ફ્યૂનાં સમયમાં પણ કોઈ ખાસ રાહત મળી નથી. રાતનાં 11 વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ પડશે.
કોઈ જ નવી છૂટછાટની જાહેરાત નહીં
નોંધનીય છે કે આ સિવાય ગુજરાતમાં જે પ્રતિબંધો કોરોના વાયરસ ગાઈડલાઇન તથા સોશ્યલ ડિસ્ટન્સને અનુલક્ષીને લગાવવામાં આવ્યા છે તે બધા જ નિયંત્રણો એમના એમ જ ચાલુ રાખવામાં આવ્યા છે અને કોઈ જ નવી છૂટછાટ આપવામાં આવી નથી.