બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એક જ દિવસમાં બીજા નબીરાએ સર્જયો અકસ્માત, સરખેજમાં ભયાનક અકસ્માત, 1નું મોત
Last Updated: 11:41 PM, 15 April 2025
Ahmedabd News : અમદાવાદમાં બેફામ કાર ચાલકોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. નાગરિકો રોડ પર તો સલામત નથી જ પરંતુ હવે ઘર કે દુકાનમાં પણ સલામત નથી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે 3 વાહનોને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેણે અડફેટે લીધેલા વાહનો પૈકી બે વાહન ચાલકોને સામાન્ય ઇજા પહોંચી હતી.
ADVERTISEMENT
સરખેજના રોયલ અકબાર નજીક અકસ્માત
ઘટના નજરે જોનાર અને પછીથી ઘટના સ્થળે પહોંચનારા મોટા ભાગના લોકોએ દાવો કર્યો કે ગાડી ચલાવનારો વ્યક્તિ ખુબ જ નશામાં હતો. તે જે પ્રકારે દુરથી જ ગાડી ચલાવતો આવતો હતો તે જોઇને જ લાગતું હતું કે તે અકસ્માત સર્જશે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત નોંધીને તપાસ આદરી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી પણ કબ્જે કરીને તપાસ કરવામાં આવી રહી છે. સરખેજના પ્રખ્યાત રોયલ અકબર નજીક અકસ્માત સર્જાયો હતો. બેફામ કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકો લોકોએ આક્ષેપ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ગોતામાં પણ અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, સાંજે અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ એક ભયાનક અકસ્માત સર્જયો હતો. અમદાવાદના અત્યંત વ્યસ્ત ગણાતા એસજી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક નશા જ ડિફેન્ડર ગાડી લઇને નિકળ્યો હતો. જો કે અચાનક તેણે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો. ગાડી સીધી જ હાઇવે પરથી રોડ કિનારે રહેલા એક કોમ્પલેક્ષના પાર્કિંગમાં ઘુસી ગઇ હતી.
જાનહાની ટળી નથી
અમદાવાદમાં વધુ એક નબીરાએ કર્યો અકસ્માત સર્જયો છે. અમદાવાદના અતિવ્યસ્ત ગણાતા ગોતા વિસ્તારમાં ડિફેન્ડર કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ચાલી રહેલી ગાડી અચાનક બેકાબુ થઇને ડાબી બાજુ વળીને સીધી જ દુકાનમાં ઘુસી ગઇ હતી. સ્થાનિક લોકોએ તત્કાલ ચાલકને બહાર કાઢ્યો હતો. જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નહોતી. કારચાલક નશામાં હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.