પેસેન્જર ટ્રેન ઓપરેશન્સમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પર બોલતા નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું હતું કે, "ભારતીય રેલ્વેનું આધુનિકરણ એ દરેક માટે વિન વિન સિચ્યુએશન છે, ગુણવત્તાયુક્ત ટ્રેન સેવાઓ, નવી તકનીક અને વેલ્યુ એડેડ સર્વિસથી વપરાશકર્તાનો અનુભવ વધુ સારો બનશે"
રેલ્વેમાં આગળની યોજના અંગે તેમણે કહ્યું હતું કે, '' અમે 109 ઓરિજિન ડેસ્ટિનેશનને જોડી રહ્યા છીએ, જેને 12 ક્લસ્ટરોમાં વહેંચવામાં આવી છે અને જેના માટે 151 ટ્રેનોની જરૂર છે. રોકાણકારોને પારદર્શક સ્પર્ધાત્મક બોલી લગાવવા માટે બોલાવવામાં આવી રહ્યા છે અને કેટલાક મોટા આકર્ષક માર્ગો કે જ્યાં બહુ મોટી માત્રામાં ડિમાંડ પણ છે, પ્રીમિયમ પેસેન્જર સેવાની ટ્રેનો શરુ કરાશે."
We're looking at 109 Origin Destination pairs, divided into 12 clusters requiring 151 trains. They're being taken up for transparent competitive bidding and some most attractive routes, based on huge unmet demand, will be put out to run premium passenger services: NITI Aayog CEO pic.twitter.com/129vSksv5O
પહેલાથી જ શરૂ થઈ ચૂકી છે બિડિંગ પ્રોસેસ : અમિતાભ કાન્ત
આ અંગેની બિડિંગ પ્રક્રિયા કઈ રીતે થશે તે મુદ્દે બોલતા તેમણે કહ્યું હતું કે "ક્વોટેશન માટેની RFP એટલે કે રીક્વેસ્ટ ફોર પ્રપોઝલ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે અને આ અરજીઓની નિયત તારીખ ૭મી ઓક્ટોબર 2020 નક્કી કરાઈ છે. મને વિશ્વાસ છે કે તેનાથી વિશ્વભરમાંથી ભારતીય રેલવેના આધુનિકીકરણ માટે મોડર્ન ટેકનોલોજી હેતુસર રોકાણ આવશે."
Request for quotation has already been floated & due date for applications is 7th Oct, 2020. Very confident that it'll bring in investments in India for modern techonology of Railways, from across the world: NITI Aayog CEO on Public-Pvt Partnership in passenger train operations pic.twitter.com/IyEh2QAgat
ભારતીય રેલ્વેમાં ખાનગીકરણના આ PPP મોડેલ વિશે કહેતા તેમણે કહ્યું હતુ કે ખાનગી ક્ષેત્રના રોકાણ તરીકે તેઓ આશરે ૩૦ હજાર કરોડ રૂપિયાના રોકાણની આશા ધરાવે છે." આ મુદ્દે વધુમાં તેમણે જણાવ્યું હતું કે " આ દેશમાં આ સૌપ્રથમ આ પ્રકારનું ઈનીશીએટિવ છે કે જ્યાં ખાનગી સંસ્થાઓ મુસાફરીના વ્યવસાય માટે, ભારતીય રેલવે ના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે"
The private sector investment we are looking at is about Rs 30,000 Crores: Amitabh Kant, NITI Aayog CEO on Public-Private Partnership in passenger train operations https://t.co/N7T5j2OKsR
This creates a win-win situation for Indian Railways as well as investors, by tapping into the potential of huge unmet demand in passenger business: Amitabh Kant, NITI Aayog CEO on Public-Private Partnership in passenger train operations https://t.co/Ytn3vBXH0J
નીતિ આયોગન CEO એ કહ્યું હતું કે મુસાફરોના વ્યવસાયમાં મોટી માંગની સંભાવનાને જોઇને આ ભારતીય રેલ્વે તેમજ રોકાણકારો માટે બંને માટે જીતની પરિસ્થિતિનું નિર્માણ કરશે.