વૈષ્ણોદેવીની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે નીવ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા યાત્રાળુઓએ હવે RTPCR અથવા એંટીજન રિપોર્ટ ફરજિયાત કઢાવો પડશે.
વૈષ્ણોદેવીના દર્શન કરવા નવા ગાઈડલાઈન જાહેર
યાત્રાળુંઓએ RTPCR અથવા એંટીજન રિપોર્ટ ફરજિયાત કરાવાનો
રિપોર્ટ 72 કલાક કરતા વધારે જૂનો ન હોવો જોઈએ
કાશ્મીરમાં કોરોનાને કાબૂ કરવા માટે સરકાર દ્વારા યાત્રાળુંઓ માટે અમુક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા વૈષ્ણોદેવી મંદિરે દર્શન કરતા યાત્રાળુઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન પ્રમાણે દર્શનાથીઓ દર્શન કરવા જાય તે પહેલા તેમણે આરટીપીસીઆર ટેસ્ટ અથવા તો એંટીજન ટેસ્ટ કરાવવો જરૂરી છે.
રિપોર્ટ 72 કલાકથી વધારે જૂનો ન હોવો જોઈએ
યાત્રાળુઓ જે ટેસ્ટ રિપોર્ટ કરાવે તે રિપોર્ટ 72 કલાક કરતા જૂનો ન હોવો જોઈએ. આ ગાઈડલાઈનનનું પાલન ફરજિયાક દરેક યાત્રાળુઓએ કરવું પડશે. દર્શન કરવા પણ તેનેજ અનુમતી આપવામાં આવશે કે જેનામાં કોરોનાના કોઈ લક્ષણ ન હોય. આ ગાઈડલાઈનમાં સાફસફાઈને લઈને પણ અમુક ખાસ નિયમો બનાવમાં આવ્યા છે.
મંદિર પરિષરને યોગ્ય સમયઅંતરે સેનેટાઈઝ કરાશે
પ્રશાસન દ્વારા હવે મંદિર પરિષરને યોગ્ય સમયઅંતરે સેનટાઈઝ કરવામાં આવશે. જોકે બીજી તરફ જોવા જઈએ તો કાશ્મીરમાં કોરોનાના કેસ ઘણા ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા કોરોનાનો 87 કેસ સામે આવ્યા છે. સાથેજ સારી બાબત એ છે કે છેલ્લા 24 કલાકમાં અહીયા એકપણ દર્દીનું મોત નથી થયું.
સંક્રમણ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે વેક્સિનના 100 આપ્યા હોવા છતા પણ હજું ખતરો ટળ્યો નથી દેશમાં હજું પણ કોરોનાના 1.75 હજાર એક્ટિવ કેસ છે. વૈષ્ણોદેવી મંદિરે યાત્રાળુંઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેથી સંક્રમણ ન ફેલાય