ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે આયોગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, કોરોના, રોગચાળાના કારણે ચોમાસા બાદ યોજાશે ગાંધીનગર મનપાની ચૂંટણી
ચોમાસા બાદ ગાંધીનગર મનપાની યોજાશે ચૂંટણી
રાજ્ય ચૂંટણી આયોગે લીધો નિર્ણય
કોરોનાને કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાઇ ન હતી
ગુજરાતમાં 6 મનપાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ ગાંધીનગર મનપાની ચૂંટણી પણ યોજાવવાની હતી. પરંતુ મે મહિના બાદ એક પછી એક કોરોનાના કેસમાં વધારો થતા ચૂંટણી પંચે મોકૂફ રાખી હતી. જેની જાહેરાત આજે ફરી પંચ દ્વારા કરી દેવાઈ છે. ચોમાસા બાદ ચૂંટણીનું આયોજન થશે. તેવું રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાઈ છે. હાલમાં કોરોના, રોગચાળો અને ભારે વરસાદના કારણે ચોમાસા બાદ આયોજનની જાહેરાત કરાઈ છે.
ગાંધીનગર મનપા ચૂંટણીને લઈ આમઆદમી પાર્ટીની અગાઉથી જ તૈયારી
ગાંધીનગરમાં પણ આમ આદમી પાર્ટી પણ મનપાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારશે. 2 એપ્રિલ 21ના દિવસે ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, પ્રતિ વોર્ડ એક પ્રભારીની નિમણૂક પણ કરવામાં આવી. પત્રકાર પરિષદમાં ગાંધીનગર ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગેરેંટી કાર્ડ દ્વારા આમ આદમી પાર્ટીનું જનતા માટેનું કમિટમેન્ટ જાહેર કર્યું હતું. ગોપાલ ઈટાલિયાએ કહ્યું, જો જનતા અમને સત્તાનું સૂકાન આપશે. તો ગેરેંટી કાર્ડ આધારે જ અમે જનતાની સેવામાં લાગી જશું.
ગાંધીનગર મનપા ચૂંટણીને લઇ AAPનું ગેરંટી કાર્ડ
AAPનું ગાંધીનગરમાં 10 અંગ્રેજી શાળા શરૂ કરવાનું વચન