બિહારમાં કોરોનાના વધતા કહેરને જોઇને સરકારે 15 મે સુધી લૉકડાઉન લગાવવાનું એલાન કર્યુ છે.
કોરોનાનો વધ્યો કહેર
બિહારમાં 15 મે સુધી લોકડાઉન
નીતિશ કુમારે આપ્યા આદેશ
નીતિશ કુમારે લૉકડાઉનનું એલાન કરતા કહ્યું કે કેબિનેટનો પ્રસ્તાવ પર અમે આજે લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે અને લૉકડાઉનની વિસ્તૃત ગાઇડલાઇન્સ જાહેર કરવાનો આદેશ કર્યો છે.
कल सहयोगी मंत्रीगण एवं पदाधिकारियों के साथ चर्चा के बाद बिहार में फिलहाल 15 मई, 2021 तक लाॅकडाउन लागू करने का निर्णय लिया गया। इसके विस्तृत मार्गनिर्देशिका एवं अन्य गतिविधियों के संबंध में आज ही आपदा प्रबंधन समूह (Crisis management Group) को कार्रवाई करने हेतू निदेश दिया गया है।
મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, કાલે સહયોગી મંત્રીગણ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને હાલ 15 મે 2021 સુધીનુ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તે વિસ્તૃત માર્ગનિદ્રેશિકા તેમજ અન્ય ગતિવિધિઓના સંબંધમાં ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપને કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ આપવામાં આવ્યો છે.
બિહારમાં કોરોનામાં થનારા મૃત્યુની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં સમૂહો તેમજ સંગઠનોથી પ્રદેશમાં લૉકડાઉનની માગ ઉઠાવવામાં આવી રહી હતી. સોમવારે તો પટના હાઇકોર્ટે પણ સરકારને પૂછ્યુ હતુ કે બિહારમાં ક્યારે લૉકડાઉન લાગશે, જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ રાજ્યમાં લૉકડાઉન લગાવવાની માગ કરવામાં આવી હતી. આ પરિસ્થિતિઓ વચ્ચે લૉકડાઉનનો નિર્ણય
કરવામાં આવે તેવી સંભાવના હતી.
પટના હાઇકોર્ટે પૂછ્યો હતો સવાલ
તમને જણાવી દઇએ કે, હાઇકોર્ટે પણ બિહારમાં કોરોના સંક્રમણથી બગડતી પરિસ્થિતિ પર નારાજગી જતાવી હતી. સોમવારે ન્યાયમૂર્તિ ચક્રધારી શરણ સિંહ અને ન્યાયમૂર્તિ મોહિત કુમાર શાહની ખંડરીઠે બિહાર સરકારને પૂછ્યુ કે લૉકડાઉન ક્યારે થશે. સાથે જ સુનવણી કરતા બિહાર સરકારને ફ્લોપ પણ ગણાવી હતી.
બિહારમાં કોરોના આંકડાની સંખ્યા
બિહારમાં પોઝીટીવ કેસની સંખ્યા 5 લાખથી પાર થઇ ગઇ છે. અત્યાર સુધી 509047 લોકો કોરોના પોઝીટીવ થયા છે. તેમાંથી 398558 લોકો સાજા થયા છે જ્યારે 107667 લોકો હજુ પણ પોઝીટીવ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 2821 લોકોના મોત થયા છે. બિહારમાં 3 મે સુધી રિકવરી રેટ 78.29 છે જ્યારે પોઝીટીવીટી રેટ 15.70 છે.