ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની પેટરનીટિ લીવથી વાપસી થઇ છે જ્યારે કે બોલર ઇશાંત શર્માની ઇજા ઠીક થઇ જતા તે પણ ફરીથી જોડાશે. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ વખતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ભારતમાં યોજાવા જઈ રહી છે ટેસ્ટ સિરીઝ
ઈંગ્લેન્ડની ટીમ ભારત આવી રહી છે સિરીઝ માટે
પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર
ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચો માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે, ચેતન શર્માની આગેવાનીમાં નવી સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ તરત જ આગામી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે પ્રથમ બે મેચો માટે પ્લેયર્સનું સિલેક્શન કરી લીધું છે.
NEWS - The All-India Senior Selection Committee met on Tuesday to pick the squad for the first two Test matches to be played at Chennai against England.#INDvENG
મહત્વનું છે કે ઇંગ્લેન્ડની સામે ભારતમાં જ આગામી 5 ફેબ્રુઆરીથી 4 મેચની ટેસ્ટ શ્રેણી યોજાવા જઈ રહી છે. ઇંગ્લેન્ડ સિરીઝની પહેલી 18 સભ્યો વાળી સ્ક્વોડમાં કેપ્ટ્ન કોહલી, ઇશાંત શર્મા અને હાર્દિક પંડયાની વાપસી થઇ છે અને સાથે જ ઓલરાઉન્ડર અક્ષય પટેલને પણ સામેલ કરવામાં આવ્યી છે, જો કે ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ ટીમમાં સામેલ કરવાથી બાકાત રાખવામાં આવ્યો છે. સાથે જ ઓપનર પૃથ્વી શૉને પણ જગ્યા નથી મળી.
TEAM - Virat Kohli (Capt), Rohit Sharma, Mayank Agarwal, Shubman Gill, Cheteshwar Pujara, Ajinkya (VC), KL Rahul, Hardik, Rishabh Pant (wk), Wriddhiman Saha (wk), R Ashwin, Kuldeep Yadav, Axar Patel, Washington Sundar, Ishant Sharma, Jasprit Bumrah, Md. Siraj, Shardul Thakur
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની આખરી મેચ બ્રિસ્બેનમાં રમાણી હતી, જેને ભારતે જીતી લેતા ટેસ્ટ સિરીઝ પોતાને નામ કરી હતી અને સતત સળંગ ત્રણ વાર બોર્ડર - ગવાસ્કર ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે આ છેલ્લી મેચમાં રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહ રમી શક્યા નહોતા, પરંતુ ઇંગ્લેન્ડ સામેની મેચમાં આ બંને પ્લેયર્સ પણ સામેલ થશે.
The Committee also picked five net bowlers and five players as standbys.
Net Bowlers: Ankit Rajpoot, Avesh Khan, Sandeep Warrier, Krishnappa Gowtham, Saurabh Kumar
Standby players: K S Bharat, Abhimanyu Easwaran, Shahbaz Nadeem, Rahul Chahar, Priyank Panchal#INDvENG
જેની સામે રવિન્દ્ર જાડેજા, મોહંમદ શમી, ઉમેશ યાદવ અને હનુમા વિહારી અલગ અલગ ઇજાઓને લીધે ટીમમાંથી હાલમાં બહાર છે, ચેન્નાઇમાં રમાનારી આગામી બંને ટેસ્ટ માટે ભારતીય ટીમને 27 જાન્યુઆરીના રોજ બાયો બબલમાં પ્રવેશ કરવો પડશે.