હૈદરાબાદ રાજ્યની મુક્તિના 75 વર્ષ પુરા થવા પર કેન્દ્ર સરકાર આખુ વર્ષ કાર્યક્રમ આયોજીત કરશે.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની મોટી જાહેરાત
હૈદરાબાદ મુક્તિની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરશે
તેલંગણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર
હૈદરાબાદ રાજ્યની મુક્તિના 75 વર્ષ પુરા થવા પર કેન્દ્ર સરકાર આખુ વર્ષ કાર્યક્રમ આયોજીત કરશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ શનિવારે આ પ્રકારની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહ 14 સપ્ટેમ્બરના રોજ ઉદ્ધાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. રેડ્ડીએ આ સંબંધમાં તેલંગણા, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓને પત્ર લખીને તેમને હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં આયોજીત થનારા ઉદ્ધાટન સમારંભ માટે આમંત્રિત કર્યા છે.
તેમણે ત્રણ સપ્ટેમ્બરના રોજ લખેલા પત્રમાં કહ્યું કે, મને આપને જણાવતા ખુશી થાય છે કે, અલગ અલગ પાસાઓ પર વિચાર કર્યા બાદ ભારત સરકારે હૈદરાબાદ રાજ્ય મુક્તિની 75મી વર્ષગાંઠ મનાવવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે તેને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર 2022થી 17 સપ્ટેમ્બર 2023 સુધી વર્ષભર ચાલનારા કાર્યક્રમોનું આયોજનને મંજૂરી આપી દીધી છે.
રેડ્ડીએ ત્રણ મુખ્યમંત્રીઓ કે.ચંદ્રશેખર રાવ (તેંલગણા), બસવરાજ બોમ્મઈ (કર્ણાટક) અને એકનાથ શિંદે (મહારાષ્ટ્ર)ને પણ અનુરોઝ કર્યો છે કે, તે પોતાના રાજ્યોમાં ઉદ્ધાટન દિવસ મનાવવા માટે યોગ્ય કાર્યક્રમોનું આયોજન કરે. તેમણે લખેલા ત્રણેય મુખ્યમંત્રીને પત્રમાં આખા વર્ષના કાર્યક્રમોની રુપરેખા અને આ યોજનાને ભારત સરકાર સાથે શેર કરવા જણાવ્યું છે, જેથી વર્ષ ભર ચાલનારા કાર્યક્રમોનું આયોજન બનાવામાં સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવી શકાય.
હૈદરાબાદ રાજ્ય નિઝામ શાસનના અધિન હતું અને પોલીસે ભારતમાં તેનું વિલય કરાવવા માટે ઓપરેશન પોલો નામથી અભિયાન ચલાવ્યું હતું. જે 17 સપ્ટેમ્બર 1948ના રોજ સમાપ્ત થયું હતું. સિકંદરાબાદથી સાંસદ રેડ્ડીએ બાદમાં ટ્વિટ કરીને ઉદ્ધાટન કાર્યક્રમ સંસ્કૃતિ મંત્રાલયના આધિનમાં આયોજીત કરવામાં આવશે અને આ નિઝામ તથા રજાકારોના અત્યાચારો વિરુદ્ધ વડનારા લોકોના જીવન અને બલિદાનને પ્રદર્શિત કરશે.
તેમણે પટેલની સાથે અંતિમ નિઝામ મીર ઉસ્માન અલી ખાનની એક અભિલેખિય તસ્વીરને શેર કરતા ટ્વિટ કર્યું કે આ સમારંભ વલ્લભભાઈ પટેલ અને એ તમામ લોકો માટે એક યોગ્ય શ્રદ્ધાંજલિ હશે, જેમણે મુક્તિ સંગ્રામ દરમિયાન બલિદાન અને યોગદાન કર્યું. ત્રણેય મુખ્યમંત્રીઓને પોતાના પત્રમાં તેમણે એ પણ લખ્યું છે કે, જેવું કે આપ જાણો છો કે, જ્યારે ભારત 1947માં સ્વતંત્ર થયો, તો 562 રજવાડાએ ભારતીય સંઘમાં વિલયની ઘોષણા કરી, તત્કાલિન હૈદરાબાદ રાજ્ય તરફથી તેનો વિરોધ થયો હતો.
17 સપ્ટેમ્બર 1948ના રોજ ભારતને અંગ્રેજોથી આઝાદી મળ્યાને એક વર્ષથી વધારે સમય થઈ ગયો હતો. તત્કાલિન હૈદરાબાદ રાજ્ય, જેમાં સમગ્ર આખુ તેલંગણા રાજ્ય અને મહારાષ્ટ્ર તથા કર્ણાટકનો અમુક ભાગ હતો, જે નિઝામના શાસનની ક્રૂરતા અને અત્યારથી આઝાદી મળી. તેમણે કહ્યું કે, ઓપરેશન પોલો અંતર્ગત સરદાર પટેલની ત્વરિત અને સમયબદ્ધ કાર્યવાહીના કારણે તે શક્ય બન્યું.