મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ આનંદીબેન પટેલે વિદાય લીધી ત્યારે રાજભવનના કર્મચારીઓએ ભાવુક થયા હતા. કર્મચારીઓએ તેમના ચરણોમાં ફુલો પાથરીને તેમનું સન્માન કર્યું હતું
મધ્યપ્રદેશમાંથી આનંદીબેને લીધી વિદાય
રાજભવનના કર્મચારીઓએ કર્યું તેમનું સન્માન
પગમાં ફુલો પાથરીને આનંદીબેનનું સન્માન કરવામાં આવ્યું
મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ મંગુભાઈ પટેલે ગુરુવારે શપથ ગ્રહણ કર્યા બાદમાં પોતાનો કાર્યભાર સંભાળી લીઘો હતો. બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ ત્યાથી વિદાય આપવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા સાથેજ તેમની વિદાયને લઈને લોકો ભાવુક થઈ ગયા હતા.
— Governor of Madhya Pradesh (@GovernorMP) July 8, 2021
પગમાં ફુલો પાથરી સન્માન કર્યું
આનંદીબેને જ્યારે રાજભવનમાંથી વિદાય લીધી ત્યારે બાળકોએ તેમના પગ પર ફુલ પાથરીને તેમનું સન્માન કર્યું હતું. આપને જણાવી દઈએ કે આજદીન સુધી કોઈ પણ રાજ્યપાલની વિદાય પર આવો માહોલ જોવા નથી મળ્યો.
કર્મચારીઓના મકાન રિનોવેટ કરાવ્યા હતા
આનંદીબેન રાજ્યપાલ હતા ત્યારે તેમણે રાજભવન પરિસરમાં રહેતા પરિવારોને ઘણી મદદ કરી છે. રાજભવનના કર્મચારીઓના મકાન તેમણે રિનોવેટ કરાવ્યા જે ઘણા જૂના થઈ ગયા હતા. જેમા તેમણે 13 કરોડ જેટલો ખર્ચો કર્યો હતો. તે સિવાય તેમણે નવા પણ ઘણા મકાનો રાજભવનના કર્મચારીઓ માટે બનાવ્યા હતા.
કર્મચારીઓના બાળકો માટે અભ્યાસ કોષ્ટક બનાવ્યા
આનંદીબેને રાજભવનામાં રહેતા કર્મચારીઓના બાળકો માટે પણ અભ્યાસ કોષ્ટકો અને વોર્ડરોબ બનાવ્યા હતા. આજ કારણ છે કે તેમની વિદાય વખતે રાજભવનના કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા.
મુખ્યમંત્રીએ ગુલદસ્તો આપી વિદાય આપી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે પણ એરપોર્ટ પહોચીને પૂર્વ રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુલદસ્તો આપીને તેમને વિદાય આપી હતી. નવા રાજ્યપાલ મંગૂભાઈએ ગુરુવારે તેમનું પદ સંભાળ્યું ત્યારે તેમણે આદિજાતી સંશોધન કાર્યોની જાણકારી મેળવી હતી. અગાઉ તેમણે ટ્રાઈબલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.