anna Hazare Says He Will Protest Against Agriculture Laws In January In Delhi
દિલ્હી /
હવે અન્ના પણ ખેડૂતોના પક્ષમાં, જો સરકાર જલ્દી નિર્ણય નહીં લે તો...
Team VTV07:39 AM, 29 Dec 20
| Updated: 07:40 AM, 29 Dec 20
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએે ચેતવણી આપી કે કેન્દ્ર સરકાર ખેડૂતોના મુદ્દાઓ પર કોઈ નિર્ણય નહીં લે તો તેઓ જાન્યુઆરીમાં દિલ્હીમાં આંદોલન શરી કરશે. તેઓએ આ માટે સરકારને પણ સુચિત કરી છે. જો કે આંદોલનની કોઈ તારીખ નક્કી કરાઈ નથી.
અન્ના હજારેએે ચેતવણી આપી
સરકાર કોઈ નિર્ણય નહીં લે તો તેઓ આંદોલન કરશે
આંદોલનની કોઈ તારીખ નક્કી કરાઈ નથી
અન્ના હજારેએ કહ્યું કે તેઓ ખેડૂતો માટે છેલ્લા 3 વર્ષથી પ્રદર્શન કરી રહ્યા છે. સરકારે આ મુદ્દાને લઈને સમાધાનની કોઈ તૈયારી બતાવી નથી, તેઓએ કહ્યું કે ખેડૂતો સંબંધિત માંગને લઈને પહેલી વાર માર્ચ 21 2018માં દિલ્હીના રામલીલા મેદાનમાં મેં ભૂખ હડતાળ કરી હતી. ત્યારબાદ સાતમા દિવસે સરકારે માંગ સ્વીકારી અને લેખિત આશ્વાસન આપ્યું. ત્યાર બાદ 30 જાન્યુઆરી 2019ના રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ કરી હતી. ત્યારે પણ સરકારે આશ્વાસન આપ્યું પણ માંગો જેમની તેમ જ રહી હતી.
હું ફરીથી દિલ્હીમાં જાન્યુઆરીમાં કરીશ આંદોલન
અન્ના હજારેએ કહ્યું કે મને એક વાર ફરીથી એ વિરોધ પ્રદર્શન દિલ્હીમાં કરવાનું નક્કી કર્યું છે. જે છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે તથા આ સંબંધમાં એક પત્ર કેન્દ્રને પણ મોકલ્યો છે. સરકાર નિર્ણય લે નહીં તો હું મારા નિર્ણય પર અડગ છું.
સરકાર ફક્ત વાયદા કરે છે તેની પર કોઈ વિશ્વાસ નથીઃ અન્ના હજારે
83 વર્ષના અન્ના હજારેએ કહ્યું કે સરકાર ખોખલા વાયદા કરે છે. આ માટે તેમની પર હવે કોઈ વિશ્વાસ નથી. તેઓએ કહ્યું કે કેટલાક નેતાઓએ 1 મહિનાનો સમય માંગ્યો છે અને જાન્યુઆરીના અંત સુધીનો સમય આપ્યો છે. જો તેમની માંગ પૂરી નહીં થાય તો તેઓ ફરી ભૂખ હડતાળ કરશે.
14 ડિસેમ્બરે તોમરને આપી હતી ચેતવણી
અન્ના હજારેએ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પત્ર લખીને ચેતવણી આપી કે સ્વામીનાથન સમિતિની અનુસંશાને લાગૂ કરવા અને કૃષિ કાયદા અને મૂલ્ય આયોગને સ્વાયત્તતા પ્રદાન કરવા સંબંધી માંગને સ્વીકાર નહીં કરાય તો તેઓ ભૂખ હડતાળ કરશે. હાલ સુધી કોઈ નિર્ણય આ માટે લેવાયો નથી, માટે તેઓ જાન્યુઆરીમાં આંદોલન કરશે.