સમાજ સેવક અન્ના હજારે દ્વારા મહારાષ્ટ્ર સરકારને સીધો સવાલ કરવામાં આવ્યો કે બાર ખુલી શકે તો મંદિરો કેમ નથી ખુલતા. સાથેજ તેમણે આ મુદ્દે લોકોને અપીલ કરી કે લોકો રસ્તા પર ઉતરીને આંદોલન કરે.
સમાજ સેવક અન્ના હજારેએ મહારાષ્ટ્ર સરકારને કરી અપીલ
રાજ્યમાં મંદિરો ફરી ખોલવા માટે અન્ના હજારેની અપીલ
બાર ખોલ્યા તો મંદિરો કેમ ન ખુલે તવો સરકારને કર્યો સવાલ
સમાજ સેવક અન્ના હજારેએ કોરોના મહામારીને કારણે જે મંદિરો બંધ થયા છે. તેને ખોલવા માટે અપીલ કરી છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને સીધા એવા સવાલો કર્યા છે કે જો રાજ્યમાં તમે બાર ખોલવાની પરવાનગી આપી શકો છો, તો મંદિર ખોલવાની પરવાનગી શા માટે ન આપી શકો.
રસ્તા પર ઉતરી લોકો આંદોલન કરે તેવી અપીલ
અન્ના હજારેના આ નિવેદન બાદ લોકો રસ્તા પર ઉતરીને આંદોલન કરે તેવી અપીલ કરી છે. અન્ના હજારે આવું નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે કોરોના મહામારીની ત્રીજી લહેરને લઈને માહારાષ્ટ્ર સરકારને પત્ર લખ્યો છે. જે પત્રમાં સરકાર ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીના કાર્યક્રમો મનાવાની પરવાનગી ન આપે તેવું કહેવામાં આવ્યું છે.
કાર્યક્રમો રદ કરવા સ્વાસ્થ્ય સચિવની સલાહ
મહારાષ્ટ્રની હાલની પરિસ્થિતી એવી છે કે અમુક જિલ્લાઓમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને લઈને સ્વાસ્થ્ય સચિવે એવો આદેશ કર્યો છે કે મહારાષ્ટ્રમાં આગામી તહેવારો વચ્ચે સામાજિક કાર્યક્રમમાં લોકો ભેગા ન થવા જોઈએ. પત્રમાં તેમણે મહારાષ્ટ્ર સરકાર દરેક કાર્યક્રમ રદ કરે તે વાતનો ઉલ્લેખ કર્યો છે.
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 126 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 4800 કરતા પણ વધારે કેસ નોંધાયા છે. સાથેજ 126 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જેથી અહીયા મૃત્યુદર હાલમાં 2.12 ટકા છે. ઉપરાંત હાલ રાજ્યામાં 2,92, 530 જેટલા લોકો હોમ ક્વોરન્ટિન હેઠળ છે. સાથેજ 51,821 જેટલા એક્ટિવ કેસ છે. જેને અનુલક્ષીને સ્વાસ્થ્ય સચિવે પત્ર લખીને મહારાષ્ટ્ સરકારને યોગ્ય સલાહ આપી છે.