12 જુલાઈએ નર્મદામૈયા બ્રિજનું કરાશે લોકાર્પણ, ભરૂચ અને અંકલેશ્વરને જોડાતા નર્મદા મૈયા બ્રિજને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવનાર છે
12 જુલાઈએ નર્મદામૈયા બ્રિજનું કરાશે લોકાર્પણ
મિનિટોમાં જ પહોંચી શકાશે ભરૂચથી અંકલેશ્વર
ડેપ્યુટી સીએમ નીતિન પટેલ કરશે બ્રિજનું લોકાર્પણ
ભરૂચ અને અંક્લેશ્વરની જનતા માટે સારા સમાચારા આવ્યા છે હવે તેમની સુવિધા માટેનો માર્ગે મોકળો થવા જઈ રહ્યો છે જે સમયની આતૂરતાથી રાહ જોવાઈ રહી હતી તેની હવે ઘડીઓ ગણાઈ રહી છે ભરૂચ અને અંકલેશ્વરને જોડાતા નર્મદા મૈયા બ્રિજને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવનાર છે.
નીતિન પટેલ કરશે બ્રિજનું લોકાર્પણ
12 જૂલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે મહત્વનું છે કે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતા ટ્રાફિકજામની સમસ્યાનો અંત આવશે.
નર્મદા મૈયા બ્રિજની લંબાઈ 3 કિ.મી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગોલ્ડ બ્રિજની સમાંતર બનેલા આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકશે ભરૂચમા આવેલા ગોલ્ડન બ્રિજ એ વર્ષો જૂનો હોવાથી તેના પર ટ્રાફિકની સમસસ્યા વધુ રહે છે 3 કિ.મીની લંબાઈ ધરાવતો જિલ્લાનો આ પ્રથમ બ્રિજ છે.
ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે
આ બ્રિજ ખુલ્લો મુકાવાથી ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ તો આવશે પરતું હવે મિનિટોમાં જ ભરૂચથી અંકલેશ્વર પહોંચી પહોંચી જવાશે.ભરૂચ અને અંક્લેશ્વર વચ્ચે 140 વર્ષ જૂના ગોલ્ડન બ્રિજ પર વાહનોનું ભારણ વધી ગયું હોવાથી નવા બ્રિજની જરૂર ઉભી થઇ હતી. આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવતા ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે
બ્રિજ 400 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો
મહત્વનું છે કે 2015માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નર્મદા મૈયા બ્રિજનું ખાત મૂહુર્ત કર્યું હતું. આ બ્રિજ અંદાજીત 400 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે જેનું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.