ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યા કેસ બાદ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે પુલકિત આર્યના રિસોર્ટમાં બુલડોઝર કોના કહેવાથી ચલાવવામાં આવ્યું હતું?
અંકિતા ભંડારી હત્યા કેસ એક નવો વિવાદ
રિસોર્ટમાં બુલડોઝરિંગની કાર્યવાહી સામે સવાલ
યુવતીના પિતાએ પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો
ઉત્તરાખંડમાં અંકિતા ભંડારી હત્યા કેસ બાદ આરોપી પુલકિત આર્યના રિસોર્ટમાં બુલડોઝરિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હવે આ બુલડોઝર કાર્યવાહી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે પુલકિત આર્યના રિસોર્ટમાં બુલડોઝર કોના કહેવાથી ચલાવવામાં આવ્યું હતું?
જીલ્લા વહીવટી તંત્ર પાસે પણ જવાબ નથી
નવાઈની વાત તો એ છે કે જિલ્લા વહીવટી તંત્ર પણ આનો જવાબ આપી શક્યું નથી. જ્યારથી રિસોર્ટને બુલડોઝર મારવામાં આવ્યું છે, ત્યારથી પુરાવા ભૂંસવાની ઉતાવળમાં રાતોરાત બુલડોઝર ચાલવામાં આવ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે, જ્યારે તપાસ અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે તમામ પુરાવા સુરક્ષિત છે, તેનો નાશ કરવામાં આવ્યો નથી.
#WATCH | Uttarakhand: Demolition underway on orders of CM PS Dhami, at the Vanatara Resort in Rishikesh owned by Pulkit Arya who allegedly murdered Ankita Bhandari: Abhinav Kumar, Special Principal Secretary to the CM
પુરાવાને નાશ કરવાનો પ્રયાસ
તમને જણાવી દઈએ કે રિસોર્ટ તોડી પાડ્યા બાદ અંકિતા ભંડારીના પિતાએ સવાલો ઉઠાવ્યા હતા. અંકિતાના પિતાએ જણાવ્યું હતું કે "રિસોર્ટને તોડી પાડવાની કાર્યવાહી પણ પુરાવાને ભૂંસી નાખવાનો પ્રયાસ હોઈ શકે છે." રિસોર્ટમાં એવા રજિસ્ટર હોવા જોઈએ કે જે બતાવે કે ત્યાં કોણ કોણ આવતું હતું, પરંતુ તેને તોડી પાડવાથી તે બધાનો અંત આવી ગયો."