ઉત્તરાખંડની અંકિતા ભંડારીનો મૃતદેહ 24 સપ્ટેમ્બરે ચિલા શક્તિ નહેરમાંથી મળી આવ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે ઋષિકેશ એઈમ્સ મોકલવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટના ડ્રાફ્ટ મુજબ અંકિતાનું મોત બ્લન્ટ ફોર ટ્રોમા (માથામાં ગંભીર ઈજા) અને ડૂબી જવાને કારણે થયું હતું.
અંકિતા ભંડારીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો
ડૂબવાથી થયું મૃત્યુ
શરીર પર પણ મળ્યા ઈજાના નિશાન
ઉલ્લેખનીય છે કે તેણીએ 12મું પાસ કર્યું હતું અને તે કોલેજ જવા ઉત્સુક હતી. પરંતુ જ્યારે તેના પિતાએ ગાર્ડ તરીકેની નોકરી છોડી દીધી, ત્યારે તેણે ગયા મહિનાના અંતમાં એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનું નક્કી કર્યું. 18 સપ્ટેમ્બરે રિસોર્ટના સંચાલક અને બે મેનેજરે તેણીની કેનાલમાં ધક્કો મારીને હત્યા કરી દીધી હતી.
પોલીસે હાથે લાગ્યો મોટો પુરાવો
ઉત્તરાખંડના લક્ષ્મણ ઝુલા વિસ્તારમાં એક રિસોર્ટમાંથી તેણી ગુમ થયાના છ દિવસ પછી, પોલીસે અંકિતાનો મૃતદેહ નહેરમાંથી શોધી કાઢ્યો હતો. 23 સપ્ટેમ્બરના રોજ પોલીસે રાજ્યના પૂર્વ મંત્રી વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્યની ધરપકડ કરી હતી. રિસોર્ટના મેનેજર સૌરભ ભાસ્કર અને અંકિત નામના અન્ય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયએ પૂછપરછ દરમિયાન કથિત બોલાચાલી બાદ અંકિતાને કેનાલમાં ધકેલી દીધાની કબૂલાત કરી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે પોલીસને હવે પુરાવા મળ્યા છે કે આરોપીઓ કથિત રીતે અંકિતા પર રિસોર્ટમાં કેટલાક મહેમાનોને "ખાસ સેવાઓ" આપવા માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે તેણે પ્રતિકાર કર્યો ત્યારે તેને મારી નાખવામાં આવ્યો.
અંકિતા ભંડારીની મોટી માએ કહ્યું- પહેલો પગાર ચૂકવતા પહેલા જ તેની હત્યા કરી દેવાઈ
અંકિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તે 28 ઓગસ્ટના રોજ તેના ગામ ડોભ શ્રીકોટથી લગભગ 130 કિમી દૂર ઋષિકેશના વનતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવા માટે આવી હતી. અંકિતાની મોટી માતા લીલાવતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, તેના પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેણે પૌડીની ભગત રામ સ્કૂલમાંથી ઈન્ટરમીડિયેટ પૂર્ણ કર્યા બાદ પોતાનું ભણતર પડતું મૂકવું પડ્યું અને કામ કરવાનું શરૂ કર્યું. અંકિતાના પિતા વિરેન્દ્ર ભંડારી ચૌરસ ડેમ ખાતે ખાનગી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, પરંતુ થોડા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી.
અંકિતા અને તેના મિત્ર વચ્ચેની વોટ્સએપ ચેટ પોલીસ માટે મુખ્ય પુરાવો છે
ડીજીપી અશોક કુમારના જણાવ્યા અનુસાર, પોલીસે અંકિતા અને જમ્મુમાં રહેતા તેના મિત્ર વચ્ચેની વોટ્સએપ ચેટ મેળવી લીધી છે. "તેણીએ (અંકિતા) સ્પષ્ટતા કરી કે તેઓ (આરોપીઓ) તેણીને વિશેષ સેવાઓ પ્રદાન કરવા માંગે છે. તેના મિત્ર અને વોટ્સએપ ચેટ અમારા માટે મુખ્ય પુરાવા છે.