અંજલિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકવનાર ખુલાસા; શરીર પર 40 ઈજા, પાંસળીઓ બહાર, મગજ ગાયબ, માથા અને પગ પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા
અંજલિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકવનાર ખુલાસા
'શરીર પર 40 ઈજા, પાંસળીઓ બહાર, મગજ ગાયબ'
માથા અને પગ પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા
દિલ્હીમાં કંઝાવાલા કાંડ મેં પોસ્ટમાર્ટન રિપોર્ટ આવ્યા પછી અનેક ખુલાસા થયા છે. જે સાંભળી તમારા વિચાર મગ્ન થઈ જશો. એ રાત્રે અંજલિના શરીર સાથે જે થયું તે ખૂબ જ ભયાનક થયું હતું. આરોપી તેની કાર વડે ખરબચડા રસ્તા પર તેને ખેંચી હતી અને તે ચીસો પાડતી રહી હતી પરંતુ તેનો અવાજ પણ શાંત થઈ ગયો જ્યારે તેનો આત્મા તેના શરીરમાંથી અલગ થઈ ગયો. હવે કારની નીચે માત્ર એક મૃતદેહ હતો અને જે શરીરનાપણ ચીંથરા નીકળી ગયા હતા ચામડીમાંથી હાડકાં બહાર આવી ગયાં હતાં. લોહીથી રસ્તો લથબત થઈ ગયું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર અંજલિના શરીરનો એવો કોઈ ભાગ નહોતો કે જ્યાં કોઈ ગંભીર ઈજાનો નિશાન ન હોય.
શરીર પર 40 ગંભીર ઈજાઓ પહોંચી હતી
રિપોર્ટની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે બાળકીની ડેડ બોડીને હોસ્પિટલના સફેદ બોડી પેકમાં લપેટીને લાવવામાં આવી હતી. તેના શરીર પર 36 જગ્યાએ 40 ગંભીર ઈજાના નિશાન હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જ અંજલિને કાર સાથે 12 કિલોમીટર સુધી ખેંચી છે તે સ્થિતિની સાક્ષી પૂરે છે. રિપોર્ટ અનુસાર, ઘટના બાદ અંજલિના શરીર પર 40 ગંભીર ઘા મળી આવ્યા છે. તેને માથામાં કેટલીક ગંભીર ઈજા અને ફ્રેક્ચર થયા હતાં. જેના કારણે તેની ખોપરી ખુલી ગઈ હતી તેમજ તેની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. ડાબા પગનું ફિમર હાડકા સહિત તેના નીચેના અંગો ગંભીર ઈજા પહોંચી હતી.
માથા અને પગ પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા
રિપોર્ટ અનુસાર મોત પહેલા આઘાતમાં હતી. તેનું ઘણું લોહી રસ્તા પર વહી ગયું હતું. તેના શરીર પરની મોટાભાગની ઇજાઓ બ્લંટ ફોર્સના કારણે હતી, જે કારની ટક્કર અને ખેંચીવાના કારણે શક્ય છે. અંજલિના માથા, કરોડરજ્જુ, ડાબા પગના હાડકા અને બંને પગમાં ગંભીર ઈજાઓ જોવા મળી છે. આ ઘટના દરમિયાન તેનું મગજ પણ ગાયબ થઈ ગયું હતું, તેની પાંસળી પણ પાછળ પડી ગઈ હતી. તેના માથા અને પગ પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા છે.
ફેફસા અને પાંસળી શરીરની બહાર નીકળી ગયા
પોસ્ટમોર્ટમમાં કહેવામાં આવ્યું હતું કે અંજલિના પગનું હાડકું પણ તૂટી ગયું હતું. એક પાંસળીનું હાડકું સંપૂર્ણપણે કચડાઈ ગયું હતું. તેનું આખું શરીર ધૂળ, કાદવ અને ગંદકીથી ઢંકાયેલું હતું. તેના ફેફસા પણ શરીરમાંથી બહાર આવી ગયા હતા. તેના પ્રાઈવેટ પાર્ટની આસપાસ અને અંદર ધૂળ, કાદવ અને ગંદકી હતી, પરંતુ ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. તેના બંને ઘૂંટણ અને પગ ખરાબ રીતે ઘસાઈ ગયા હતા. પેટમાંથી અપાચન થયેલું ખોરાકના પોર્ટીન્સ મળી આવ્યા હતા.
દારૂ મળવાની વાત સામે આવી નથી
આ સિવાય પીએમ રિપોર્ટમાં ઈજા અને ખેંચવાના કારણે લોહી નીકળ્યું હોવાની વાત સામે આવી છે. જે અંજલિના મોતનું કારણ બન્યું હતું. જો કે હજુ સુધી દારૂ મળવાની વાત સામે આવી નથી. આલકોહોલનો પીએમના રિપોર્ટમાં ઉલ્લેખ નથી.
વિસેરા રિપોર્ટમાં હકીકત સામે આવશે
કંપ્લીટ વિસેરા રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે અકસ્માત સમયે અંજલિ નશામાં હતી કે નહીં. અંજલિનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સ્પષ્ટપણેએ હકીકત તરફ ઈશારો કરે છે કે કેટલી નિર્દયતાથી તેને ખેંચીને દર્દનાક મૃત્યુ તરફ ધકેલી દેવામાં આવી હતી.