જ્યારે પિતાની છાયા તેણે ગુમાવી ત્યારે અનીતા હસનંદાની માત્ર 16 વર્ષની હતી, પરંતુ જ્યારે રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા ત્યારે પિતાની ખોટ સસરાએ પૂરી દીધી. આજે એકવાર ફરી તેણે તેના પિતા ગુમાવ્યા છે. રોહિત રેડ્ડીના પિતા અનિતાના સસરાનું નિધન થયું છે.
પિતાની છત્રછાયા ગુમાવી
એક્ટ્રેસ છે દુ:ખી
ઇન્સ્ટા પર શૅર કરી પોસ્ટ
અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી સહિતનો આખો પરિવાર આઘાતમાં છે. રોહિતે ઇન્સ્ટાગ્રામ પર તેના પિતાને યાદ કરતી એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે પિતાનો હાથ હાથમાં લીધો છે. તસવીર જોતા એવું લાગે છે કે તે કોઈ હોસ્પિટલની છે. તસવીર સાથે રોહિત રેડ્ડીએ લખ્યું, 'પાપા તને બહુ યાદ આવશો. તમે મારા હીરો હતા, અને હંમેશા રહેશે. '
અનીતા હસનંદાની પણ તેના હૃદયની વેદનાને રોકી ન શકી, અને તેણે સસરા સાથે દારૂ પીતી એક જૂની તસવીર શેર કરી અને લખ્યું, 'જ્યારે મે મારા પિતાને ગુમાવ્યા ત્યારે મારી ઉંમર 16 વર્ષની હતી અને ત્યારથી હું મારા લગ્નનું સપનું જોઈ રહી હતી જેથી સસરાના આ કમી દૂર કરી શકે. પાપા, તમે મારી સાથે તમારી દીકરીની જેમ વર્તન કર્યુ છે. રોહિત કરતા વધારે પ્રેમ. મારા જીવનમાં તમને મળીને હું ભાગ્યતા અનુભવુ છુ.'
'હું તમને મળી ત્યારથી જ હું પ્રાર્થના કરતી હતી કે જો રોહિત તમારા કરતા અડધો પ્રેમાળ, દેખભાળ કરનાર, વાસ્તવિક, મજબૂત, પ્રામાણિક, નિર્દોષ છે, તો તેનો અર્થ એ છે કે મેં એક યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.
જોકે, રોહિત રેડ્ડીના પિતાના મોતનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.