અસલમ ઉર્ફે ભૂરો મૂળ જૂનાગઢ જિલ્લાનો રહેવાસી છે. આથી ક્રાઇમ બ્રાંચે અસલમના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અગાઉ હથિયારો સાથે 4 શખ્સો ઝડપાયા હતાં. 4 શખ્સો પાસે અસલમનું ક્રોસ ઈન્ટ્રોગેશન હાથ ધરાશે. અસલમ ઉર્ફે ભૂરાની સાથે એક સગીર વયનો આરોપી પણ ઝડપી પાડ્યો છે. સગીર વયના આરોપી હોવાથી તેને જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવ્યો છે. આ અસલમ રિબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાનો ખાસ માણસ છે.
ખંડણી મામલાનો મુખ્ય આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી છે ધરપકડ
બીટકોઈન કૌભાંડના આરોપી શૈલેષ ભટ્ટની સુરત ક્રાઈબ બ્રાન્ચે 26 ઓગસ્ટે ધરપકડ કરી હતી. દિલ્હીની તિહાડ જેલમાંથી તેનો કબ્જો લેવાયો હતો. જો કે જ્યારે તેને સુરત લવાયો ત્યારે ગાઈડલાઈન પ્રમાણે તેનો કોરોના રિપોર્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તમામ પોલીસકર્મીઓનો પણ રિપોર્ટ કરાવાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શૈલેષ ભટ્ટે બિલ્ડર રાજુ દેસાઈની સાથે નાણાકિય લેવડ-દેવડ કરી હતી. જેના મામલે શૈલેષ ભટ્ટે રીબડાના અનિરુદ્ધ જાડેજાને રૂ.25 કરોડ વસુલાતની સોપારી આપી હતી. હાલ આરોપી શૈલેષ ભટ્ટ છે સિવિલની કોવિડ કેર હોસ્પિટલમાં.
શું છે મામલો?
સુરતના પાસોદરા પાસે આવેલી બિલ્ડરની સાઈટમાં ઘૂસણખોરી કરીને કબજો જમાવનાર સૌરાષ્ટ્રના ચાર શખ્સોને પિસ્તોલ સહિતના અન્ય હથિયારો સાથે પોલીસે ઝડપી લીધા હતા. જે બાદ આમાં 25 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ થઈ હતી, જેમાં રીબડા ના અનિરુદ્ધ સિંહ જાડેજા સહિતના લોકો સામે પોલીસે ખંડણી માંગવાનો ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં ગુજરાતભરમાં ચકચાર જગાવનાર બીટકોઈન પ્રકરણના સૂત્રધાર એવા શૈલેષ ભટ્ટ નું નામ પણ બહાર આવ્યું છે કે જેણે સોપારી આપી હતી હોવાનું કહેવાય છે.
સુરત માં રહેતા રાજુભાઈ દેસાઈ નામના બિલ્ડરની સાઇટ હતી, જેમાં 15 જેટલી બિલ્ડિંગોનું બાંધકામ ચાલુ હતું ત્યારે આ બાંધકામ રોકીને ચારેક જેટલા શખ્સો હથિયારો સાથે આ સાઈટ ઉપર કબજો કરીને બેઠા હતા જે અંગે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.
ચાર શખ્સો પાસે મળ્યા હતા હથિયારો
પોલીસે દરોડો પાડતાં સુરત માંથી જૂનાગઢના સલીમ ઈબ્રાહીમ ઠેબા,રાજકોટ ના સાજીદ સુલેમાન ઠેબા, જૂનાગઢના હનીફ અલ્લારખા દરઝાદા અને ઉંમર કાસમ પટણીની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી દેશી બનાવટની ચાર પિસ્તોલ અને અમુક જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પૂછપરછમાં સામે આવી હતી ખંડણીની વાત
આ શખ્સોની પૂછપરછ કરતાં તેમાં ખંડણીની વાત સામે આવી હતી જેમાં રીબડા ના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ,સુરતના શૈલેષ બાબુ લાલ ભટ્ટ ,નિકુંજ ભટ્ટ ,વિજય શાંતિલાલ ખોખરીયા, વકીલ ધર્મેશ પટેલ ,અતાઉલ્લા ખાન ,સબીર, જૂનાગઢના સલીમ ઈબ્રાહીમ ઠેબા ,અમરેલીના સાજીત સુલેમાન ઠેબા, જૂનાગઢના હનીફ અલ્લા દરઝાદા, ઉંમર કાસમ પટણી વગેરેનું નામ બહાર આવતા પોલીસે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ અંગે સૂત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેસમાં બિલ્ડરે શૈલેષ ભટ્ટ પાસેથી અમુક રકમ વ્યાજે લીધી હતી જેની બદલે શૈલેષ ભટ્ટે કબજા વગરનું સાટાખત કરવી લીધો હતો. જે બાદ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને ખંડણીની સોપારી આપી હતી. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ આ જ કેસમાં સુરત પોલીસ અને રાજકોટ પોલીસે રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના નિવાસસ્થાન અને ફાર્મહાઉસ પર સર્ચ ઓપરેશન પણ કર્યું હતું. હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજા વોન્ટેડ છે.