ઉનાળાની શરૂઆત થતાની સાથે ઠેરઠેર પાણીના પોકાર છૂટી રહ્યાં છે ત્યારે આ સમસ્યાથી ગીર જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ પણ બાકાત નથી. તો વન વિભાગ દ્વારા જંગલમાં વસતા પ્રાણીઓ માટે કૃત્રિમ રીતે પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. સાસણ ગીર અને સમગ્ર ગીર વિસ્તારમાં એસિયન્ટિક સિંહો અને અન્ય પશુઓની પ્યાસ છીપાવવા વન વિભાગે 500 જેટલા પાણીના પોઈટ ઉભા કર્યા છે.