ગુજરાતમાં એક સરીસૃપની મોટા પ્રમાણમાં તસ્કરી થઈ રહી છે કારણ કે એવી માન્યતા છે કે તે પૌરૂષત્વ વધારે છે અને શક્તિવર્ધક દવાઓમાં પણ વપરાય છે ત્યારે કચ્છના બન્નીમાં વસતી ચંદન ઘોની તસ્કરી કરવામાં આવી રહી હોવાની આશંકા સેવાઈ રહી છે. 300 જેટલા ચંદન ઘોના મૃતદેહો મળી આવ્યા છે.
સરીસૃપ સાંઢાની હત્યાની આશંકા
300 જેટલા સરીસૃપ સાંઢા મળ્યાં મૃતદેહ
વનવિભાગે તપાસ હાથ ધરી
કચ્છના બન્નીના ઘાસિયા મેદાનની ઘટના સામે આવી છે. 300 જેટલા સરીસૃપ સાંઢાની હત્યાની આશંકા સેવાઈ રહી છે. સાંઢાના દર માંથી કાઢીને હત્યા કરાઇ હોવાની આશંકા સેવાઈ રહી છે.
સ્થાનીકો દ્વારા કરાઇ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ શરૂ કરી છે.
ચંદન ઘોની તસ્કરી
ચંદન ઘો સરિસૃપ વર્ગનું પ્રાણી છે. રેતાળ અને રણ પ્રદેશમાં વધારે જોવા મળે છે. ચંદન ઘો કચ્છ, સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળે છે.
પૌરૂષત્વની દવાઓમાં ઉપયોગ
ચંદન ઘો બાબતે અનેક માન્યતા પ્રવર્તે છે. ચંદન ઘોથી પૌરૂષત્વ વઘે છે તેવી માન્યતા છે. શક્તિવર્ધક દવા માટે પણ ચંદન ઘોની તસ્કરી થાય છે.
ચંદનઘોની દાણચોરી
ચંદન ઘોની તસ્કરીની ઘટના દિવસે દિવસે વળી રહી છે. તસ્કરો ચીન અને મલેશિયામાં ચંદન ઘો મોકલે છે.