વાવાઝોડા તૌકતેના કહેર વચ્ચે મુંબઈમાંથી 175 કિમી દૂર સમુદ્રામાં બાર્જ પી 305 તેની ઝપટમાં આવીને ડૂબી ગયું
અનિલ વાયચાલ બાર્જ પી 305માં હતા સવાર
9 કલાક સુધી સમુદ્રમાં તરતા રહ્યા
આશા ન હતી કે પરિવારને ફરી મળી શકીશ
દેશના તટીય વિસ્તારમાં ચક્રવાત તૌકતેએ હાલમાં જ તાંડવ મચાવ્યું હતું. જેના કારણે ખૂબ નુકશાન થયું છે. ચક્રવાત તૌકતેના કહેરના કરાણે મુંબઈથી 175 કિમી દૂર સમુદ્રમાં બાર્જ પી 305 પણ તેની ઝપટમાં આપીની ડૂબી ગયું. આ જહાજમાં સવાર 261માંથી 186 લોકોને સેનાના જવાનોએ બચાવી લીધા છે. તેમાંથી એક મહારાષ્ટ્રના રહેવાસી મીકેનિકલ એન્જીન્યર અનિલ વાયચાલે પોતાની રૂવાડા ઉભા કરી દે તેવી કહાની કહી છે.
જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો
અનિલ વાયચાલે જણાવ્યું કે વાવાઝોડા તૌકતેમાં જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે વિચાર્યું ન હતું કે મારા પરિવારને ફરી મળી શકીશ. બાર્જ પી 305ના પીડિત અનિલ વાયચાલે જણાવ્યું કે તે પણ બાર્જ પી 305માં સવાર હતા. જ્યારે બાર્જ ડૂબી રહ્યું હતું તો તેમણે જીવ બચાવવા માટે પોતાના સાથીઓની સાથે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. વધુ પવન અને લહેરોમાં નવ કલાક જીવન અને મોત વચ્ચે ઝોલા ખાતા રહ્યા.
આશા ન હતી જીવન બચાવી લઈશ
40 વર્ષીય અનિલ વાયચાલ એફકોન્સ કંપનીમાં કામ કરે છે. આ કંપની ઓએનજીસી માટે કોન્ટ્રેક્ટ પર સમુદ્રામાં કામ કરે છે. બાર્જ પી 305ના પીડિત અનિલ કુમારે જણાવ્યું કે તે 9 કલાક મારા માટે આખા જીવનના બરાબર હતા. તેમને એવી આશા ન હતી કે તે બચી શકશે અને ફરી પરીવારને મળી શકશે.