ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલે (Anil Kumble) ના નેતૃત્વવાળી સમિતિ પોતાની આગામી બેઠકમાં બાઉન્ડરી નિયમ સહિત વિશ્વકપ ફાઇનલ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ICCના અધિકારી જ્યોફ એલર્ડાઇસે આ જાણકારી આપી છે. એલર્ડાઇસે એક મુલાકાતમાં જણાવ્યું, '' ICC ટૂર્નામેન્ટોમાં ૨૦૦૯થી મેચ ટાઈ થવાની સ્થિતિમાં વિજેતાનો નિર્ણય કરવા માટે સુપર ઓવર (બોલ-આઉટના સ્થાને)નો ઉપયોગ થઈ રહ્યો છે.
લંડનઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલે (Anil Kumble) ના નેતૃત્વવાળી સમિતિ પોતાની આગામી બેઠકમાં બાઉન્ડરી નિયમ સહિત વિશ્વકપ ફાઇનલ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ICCના અધિકારી જ્યોફ એલર્ડાઇસે આ જાણકારી આપી છે. એલર્ડાઇસે એક મુલાકાતમાં જણાવ્યું, '' ICC ટૂર્નામેન્ટોમાં ૨૦૦૯થી મેચ ટાઈ થવાની સ્થિતિમાં વિજેતાનો નિર્ણય કરવા માટે સુપર ઓવર (બોલ-આઉટના સ્થાને)નો ઉપયોગ થઈ રહ્યો છે.
સુપર ઓવર પણ ટાઇ થયા બાદ મેચનું પરિણામ એ મેચમાં જ બનેલી કોઈ ચીજના આધારે લાવવાનો હતો. આ ચીજ એ મેચમાં ફટકારવામાં આવેલી બાઉન્ડરીની સંખ્યા સાથે જોડાયેલી હતી.'' ઉલ્લેખનીય છે કે ગત ૧૪ જુલાઈએ લોર્ડ્સમાં રમાયેલી વર્લ્ડકપની ફાઇનલમાં વધુ બાઉન્ડરીના આધારે ન્યૂઝીલેન્ડને હરાવીને ઈંગ્લેન્ડે પ્રથમ વાર વિશ્વકપનો ખિતાબ જીત્યો હતો.
મેચ ટાઇ થયા બાદ સુપર ઓવરનો સહારો લેવામાં આવ્યો હતો, પરંતુ સુપર ઓવર પણ ટાઇમમાં પરિણમી હતી. ત્યાર બાદ ઈંગ્લેન્ડને ૨૨ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારવાના કારણે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું, કારણ કે ન્યૂઝીલેન્ડની ટીમ ૧૭ બાઉન્ડરી જ ફટકારી શકી હતી. એલર્ડાઇસે કહ્યું, ''દુનિયાભરની લગભગ બધી ટી-૨૦ લીગમાં સુપર ઓવર ટાઇ થાય ત્યારે બાઉન્ડરીના નિયમનો જ ઉપયોગ કરવામાં આવે છે. અમે પણ એ જ સુપર ઓવર નિયમનો ઉપયોગ કરવા ઇચ્છતા હતા. હવે અનિલ કુંબલેના અધ્યક્ષપદ હેઠળની અમારી ક્રિકેટ સમિતિ આ અંગે ચર્ચા કરશે.''