એઇ અને ઓમાનમાં રમાનારા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમને નવા કોચની તલાશ છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે
પૂર્વ કોચ અનિલ કુંબલે ફરી કરી શકે છે વાપસી
વિરાટ કોહલી સાથે મતભેદના કારણે આપ્યું હતું રાજીનામુ
રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ યુએઇ અને ઓમાનમાં રમાનારા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થશે. આ પછી BCCI ભારતીય ટીમના નવા કોચની શોધમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રહી ચૂકેલા અનિલ કુંબલે ફરી એકવાર વાપસી કરી શકે છે. અહેવાલો અનુસાર, કુંબલેએ મુખ્ય કોચ બનવાની સંમતિ પણ વ્યક્ત કરી છે.
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, "આ કોઈ રહસ્ય નથી કે અનિલ કુંબલેએ મુખ્ય કોચ તરીકેના પહેલા કાર્યકાળમાં વધુ સારું કામ કર્યું હતું. જો કે હવે તે પૂર્વ કેપ્ટન કુંબલે પર જ નિર્ભર છે કે તે બીજી વખત ટીમ ઇન્ડિયાના કોચ બનશે કે નહીં.
વિરાટ સાથે મતભેદ
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી સાથે મતભેદના કારણે કુંબલેએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાથી પરિચિત બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે અનિલ કુંબલેના રાજીનામાંની ઘટનામાં કોહલીના દબાણ બાદ તેમણે હટાવાયા તે યોગ્ય નથી, જો કે હવે કોચ તરીકે કુંબલે અથવા લક્ષ્મણમાંથી જે અરજી કરે તેના પર વિચાર કરવામાં આવશે.