નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના સૌથી કામયાબ કોચ મનાતા અનિલ કુંબલેની જગ્યાએ બીસીસીઆઇ હવે નવા કોચની શોધખોળ કરી રહી છે. આઇસીસી ચેમ્પિયન ટ્રોફી પછી ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ અનિલ કુંબલેનો કાર્યકાલ પૂરો થઇ જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમના મુખ્ય કોચ પદ માટે આવેદન પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે.
બીસીસીઆઇના કાર્યકર્તા સચિવ અમિતાભ ચોધરીએ ગુરૂવારે આ બાબતની જાહેરાત કરી હતી. અમિતાભે એક ભાષણમાં કહ્યું કે બીસીસીઆઇ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના કોચ પદ માટે ઇચ્છા ધરાવતી વ્યક્તિઓથી આ પદ માટે આવેદનની પ્રક્રિયા શરૂ કરી રહી છે. જેની અંતિમ તારીખ 31 મે રાખવામાં આવી છે.