મિસ્ટર ઇન્ડિયા 25 મે 1987ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ અનિલ કપૂરના કરિયર માટે માઇલસ્ટોન સાબિત થઇ હતી. અનિલ કપૂરે મિસ્ટર ઇન્ડ્યિાના 34 વર્ષ પૂર્ણ થવા પર ઇન્સ્ટાગ્રામ પર એક રોમાંચક કિસ્સો શૅર કર્યો છે.
મિસ્ટર ઇન્ડિયાએ 34 વર્ષ પૂર્ણ કર્યા
નવી પેઢીને પણ પસંદ છે મિસ્ટર ઇન્ડિયા
અનિલ કપૂરે લખ્યું છે કે, મિસ્ટર ઇન્ડિયા મારા માટે હંમેશા એક મહત્વપૂર્ણ ફિલ્મ બની રહેશે. મને યાદ છે જ્યારે 34 વર્ષ પહેલા અમે આ સફરની શરૂઆત કરી હતી ત્યારે હું દરેક વસ્તું માટે ખૂબ ઝનૂની રહેતો હતો. ત્યારે હું 'જીંદગી કી યહી રીત હૈ' ગીતની ધૂન સાંભળ્યા કરતો હતો. હું આ ગીતમાં ફક્ત કિશોર દાનો અવાજ ઇમેજીન કરતો હતો. ત્યારે કિશોર કુમાર, લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે કામ કરવા નહોતા ઇચ્છતા. કિશોર દાના સંપર્કમાં આવતા મહિના લાગી ગયા.
અનિલ કપૂરની વાત જ્યારે કિશોર કુમાર સાથે થઇ ત્યારે તે કિશોર કુમારના ઘરે ગયા ને બંને વચ્ચે વાત કરાવડાવી. જેનું પરિણામ આવ્યું કે આ શાનદાર મેલૉડીને આજે પણ મુશ્કેલ સમયમાં યાદ કરવામાં આવે છે.
તમને જણાવી દઇએ કે, અનિલ કપૂરે હાલમાં જ તેમની પત્ની સુનિતા કપૂર સાથે લગ્નના 36 વર્ષ પૂરા થવા પર ઉજવણી કરી. બંને એ 1984માં લગ્ન કર્યા હતા. અનિલ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એક કિસ્સો પણ તેમના ફેન્સ સાથે શૅર કર્યો હતો.