સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી પણ વધારે થઇ ગયુ છે. આ એક મહિનામાં તેના જીવનની કેટલીક ઘટનાઓ પણ સામે આવી છે. તેનો પરિવાર અને નજીકના મિત્રો માનવા તૈયાર નથી કે સુશાંતે આત્મહત્યા કરી છે, માટે તે CBI તપાસ માટે અમિત શાહ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અરજ કરી ચૂક્યા છે. ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક ચોંતાવનારુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું છે કે કરન જોહર અને મહેશ ભટ્ટની ફરી પૂછપરછ કરવામાં આવશે જેને રેકોર્ડ કરવામાં આવશે.
સુુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ
અનિલ દેશમુખે આપ્યુ નિવેદન
કરન જોહર અને મહેશ ભટ્ટ પર લટકતી તલવાર
સુશાંત કેસમાં મહેશ ભટ્ટની પૂછપરછ
સુશાંતના નિધન બાદ મહેશ ભટ્ટને સોશ્યલ મિડીયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તે નેપોટીઝમને આગળ લઇ જઇ રહ્યા છે તેને રિવાજ બનાવી રહ્યાં છે. મુંબઇ પોલિસ મહેશ ભટ્ટની પૂછપરછ કરશે અને તેમના નિવેદનને રેકોર્ડ કરશે, ત્યારે તે જોવાનું રહે છે કે મહેશ ભટ્ટ પોલિસને શું નિવેદન આપે છે.
કરન જોહરના મેનેજરની પૂછપરછ
સુશાંત સિંહ રાજપૂત કરન જોહર સાથે ફિલ્મ ડ્રાઇવમાં કામ કરી ચૂક્યા છે. સુશાંતના નિધન બાદ હવે જ્યારે કરન જોહરનું નામ સામે આવ્યુ છે ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ નિવેદન આપ્યુ છે કે કરન જોહરના મેનેજરની પણમ પૂછપરછ કરવામાં આવે. બની શકે કે આ બંને સેલેબ્સની પૂછપરછ બાદ બીજા મોટા સેલેબ્સની પૂછપરછનો દોર શરૂ થઇ જાય. આ પહેલા પણ આદિત્ય ચોપરા, રિયા ચક્રવર્તી, સંજય લીલા ભણસાલી વગેરેની પૂછપરછ થઇ ચૂકી છે.
થોડા સમય પહેલા અનિલ દેશમુખે નિવેદન આપ્યુ હતુ કે સુશાંત આત્મહત્યા કેસમાં સીબીઆઇ ઇન્કવાયરીની કોઇ જરૂર નથી મુંબઇની પોલિસ આ કેસને સોલ્વ કરવામાં સક્ષમ છે, હવે આ પ્રકારના પગલા બાદ તેમના નિવેદનને તેમણે ગંભીરતાથી લીધુ હોય તેમ લાગી રહ્યું છે. મહેશ ભટ્ટ પર રિયા ચક્રવર્તી સાથેના આડાસંબંધોનો પણ આરોપ છે.
તમને જણાવી દઇએ કે, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે તેમના મુંબઇ સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી, બાદમાં બોલિવૂડના કેટલાક દિગ્ગજ કલાકારો તેમજ ડિરેક્ટર્સ પર પણ આરોપ લાગ્યા છે કે તે લોકો સુશાંતના મોત માટે જવાબદાર છે.