મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને નિર્દોષ સાબિત કરવા એનસીપી સુપ્રીમો શરદ પવારે જે તર્ક આપ્યા તેની પર હવે સવાલ ઉઠવા લાગ્યાં છે.
શરદ પવારે અનિલ દેશમુખનો કર્યો બચાવ
અનિલ દેશમુખ હોસ્પિટલમાં હતા, તો સચિન વઝેને કેવી રીતે મળી શકે-પવારનો દાવો
ભાજપ નેતા અમિત માલવીયે દેશમુખનું ટ્વિટ દેખાડ્યું
ટ્વિટ પરથી દેશમુખ પ્રેસ કોન્ફરન્સમાં હોવાનું જણાતું હતું
સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે જણાવ્યું કે 5 થી 15 ફેબ્રુઆરીની વચ્ચે દેશમુખ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં ભરતી હતી તેથી સચિન વઝેને મળવાનો તો કોઈ સવાલ જ પેદા થતો નથી.
પવારના આ તર્ક બાદ મીડિયાએ તેમને અનિલ દેશમુખનું એક એવું ટ્ટિટ દેખાડ્યું કે જેમાં તેઓ 15 ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફન્સમા વાત કરી રહ્યાં હતા. જોકે આ મુદ્દે શરદ પવાર કોઈ જવાબ આપી શક્યા નહોતા.
A few journalists were waiting for me at the hospital gate after I got discharged on 15th February. I was feeling low and weak so I sat on the chair there and responded to their questions. Then I went straight to my car and went home: Maharashtra HM Anil Deshmukh pic.twitter.com/N9DKJPfUg3
પ્રેસ કોન્ફરન્સમાં પવારે દેશમુખના હોસ્પિટલમાં ભરતી હોવાનો લેટર પણ દેખાડ્યો. પવારે કહ્યું કે દેશમુખ 5 થી 15 ફેબ્રુઆરી સુધી નાગપુરની હોસ્પિટલમાં ભરતી હતા. ત્યાર બાદ 16 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી હોમ આઈસોલેટ હતા. પવારે કહ્યું કે આ દર્શાવે છે કે આરોપ ખોટા છે. તેથી દેશમુખના રાજીનામાનો કોઈ સવાલ જ ઉઠતો નથી.
ખુદ દેશમુખના ટ્વિટે સવાલ ઊભો કર્યો
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે દેશમુખનું 15 ફેબ્રુઆરીનું ટ્વિટ શેર કર્યું જેમાં દેશમુખ મીડિયા સમક્ષ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરનાર સેલિબ્રિટીનો ઉલ્લેખ કરી રહ્યાં હતા. આ મુદ્દે પત્રકારોએ પૂછ્યું કે દેશમુખ ક્યાં હતા ત્યારે તેઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા.
પહેલા તો પવારના સ્ટાફે એવું કહેવાની કોશિશ કરી કે અનિલ દેશમુખ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા પ્રેસ સાથે વાત કરી રહ્યાં હતા. પરંતુ આ તર્ક પણ ન ચાલ્યો તો પવારે ગોળ ગોળ વાત કરતા જણાવ્યું કે દેશમુખના બહાને અસલ મુદ્દા પર પરદો પાડવામાં આવી રહ્યો છે. પવારે કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ એ છે કે અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ક્યાંથી આવ્યાં, મનસુખ હિરેનની હત્યા કોણે કરી એ જાણવું વધારે જરુરી છે. દેશમુખ પર લાગેલા વસૂલીના આરોપી એટલા મહત્વના નથી.