મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અનિલ દેશમુખને કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી જેમા ઈડીને વધારે કસ્ટડી આપવા કોર્ટે મનાઈ કરી. પરંતુ હવે કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
અનીલ દેશમુખને EDની કસ્ટડીમાંથી મળી મોટી રાહત
કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
EDની કસ્ટડી કોર્ટે વધારે સમય ન લંબાવી
કોરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામા આવ્યા છે. જેમા મુંબઈની હૉલિડે કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. ED દ્વારા પણ અનિલ દેશમુખની 9 દિવસની કસ્ટડી માગવામાં આવી હતી. જોકે કોર્ટે EDને કસ્ટડી નથી આપી.
1 નવેમ્બરે થઈ હતી ધરપકડ
ઈડી દ્વારા મની લોન્ડ્રીગના કેસમાં અનિલ દેશમુખની 12 કલાક કરતા પણ વધું સમય પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં 1 નવેમ્બરે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચાર અને પદનો દૂર ઉપયોગ કરવાનો આરોપ
આ મની લોન્ડ્રીંગનો કેસ મહારાષ્ટ્ર પોલીસ એસ્ટાબ્લિશમેન્ટમાં ખંડણી ગેંગ સાથે સંબંધિત છે. 21 એપ્રીલે એનસીપી નેતા સામે સવાલો ઉઠ્યા બાદ દેશમુખ અને તેના સાથીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા પૂર્વ ગૃહમંત્રી દેશમુખ સામે ભ્રષ્ટાચરા અને પદનો દૂરઉપયોગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
4 કરોડ 70 લાખ કર્યા ભેગા
ઈડીનો પણ આરોપ છે કે જ્યારે દેશમુખ ગૃહમંત્રી હતા ત્યારે તેમણે તેમના પદનો દૂર ઉપયોગ કરીને પોલીસ કર્મી સચિન વાજે દ્વારા 4 કરોડ 70 લાખ જેટલી રકમ એકઠી કરી હતી. જોકે આ મામલે અગાઉ દેશમુખ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે એજન્સી આ સમગ્ર મામલે પોલીસ અધિકારી દ્વારા આપેલા નિવેદન પર કામગીરી કરી રહી છે.