વસૂલી કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી લીધી છે.
12 કલાકની પૂછપરછ બાદ ઈડીને દેશમુખ તરફથી સંતોષકારક જવાબ ના મળતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે તેને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે અનિલ દેશમુખ સોમવારે સવારે ૧૧ વાગ્યે ૫૫ મિનિટ પર ખુદ ઈડી પહોંચ્યા હતા. આ પહેલા અનેકવાર ઈડી દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે પૂછપરછમાં સામેલ ન થયા. પરંતુ સોમવારે તેઓ ઈડી પહોંચ્યા અને પૂછપરછમાં સામેલ પણ થયા. ઈડીએ ૧૨ કલાક સુધી દેશમુખની પૂછપરછ કરી હતી. પરંતુ ઈડીને કોઈ જવાબ ઠીક ન લાગ્યો, તેવામાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની ધરપકડ કરી લેવામાં આવી. ઈડીએ સ્પષ્ટ કહ્યું કે દેશમુખે પૂછપરછમાં સહયોગ ન કર્યો.