બજારમાં એવા અહેવાલો છે કે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કેપિટલની બે કંપનીઓ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિ. (આરએચએફએલ) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિ. (આરસીએફએલ)નું ક્રેડિટ રેટિંગ ડાઉન ગ્રેડ થવાથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આ બંને કંપનીઓ હવે ગમે તે ઘડીએ વેચાઇ શકે છે.
મુંબઇઃ બજારમાં એવા અહેવાલો છે કે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કેપિટલની બે કંપનીઓ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિ. (આરએચએફએલ) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિ. (આરસીએફએલ)નું ક્રેડિટ રેટિંગ ડાઉન ગ્રેડ થવાથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આ બંને કંપનીઓ હવે ગમે તે ઘડીએ વેચાઇ શકે છે. આ બંને કંપનીઓ નવી ઇક્વિટી વેચીને ફંડ મેળવવાની કોશિશ કરી રહી છે. તેની હોલ્ડિંગ કંપની રિલાયન્સ કેપિટલ યોગ્ય ભાવ પર નવા રોકાણકારોને માલિકી હક આપવા માટે તૈયાર છે.
અનિલ અંબાણીનાં રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કેપિટલના સીઇઓ અમિત બાફનાએ જણાવ્યું હતું કે અમે દેશ વિદેશના રોકાણકારો સાથે વાતચીત કરી રહ્યા છીએ અને એકાદ બે મહિનામાં અમને ઇક્વિટી કેપિટલ મળી જવાની આશા છે. કેપિટલ મળવાથી ભવિષ્યમાં તેનો ગ્રોથ સિદ્ધ કરવામાં મદદ મળી રહેશે. સાથે સાથે ક્રેડિટ રેટિંગ કંપનીઓનો તેના પર ભરોસો પણ વધશે.
માહિતગાર સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે આરએચએફએલ અને આરસીએફએલ રૂ.૩૦૦૦ કરોડ સુધીની ઇક્વિટી મેળવવા માટે કોશિશ કરી રહી છે. વેલ્યુએશનનાં આધારે આ રકમ ઘણી વધુ છે. રિલાયન્સ કેપિટલ પાસે આરસીએફએલમાં સો ટકા અને આરએચએફએલમાં ૫૦ ટકા ભાગીદારી છે. નવા ઇન્વેસ્ટર્સને શેર વેચવાથી આ સ્ટેક હવે ઘટીને ૫૦ ટકા કરતાં પણ ઓછો થઇ જશે. બાફનાનાં જણાવ્યાં પ્રમાણે અમને પ્રાપ્ત થનારા વેલ્યુએશન પર બધો આધાર છે. આરએચએફએલની લોન બુક રૂ. ૧૭ હજાર કરોડથી વધુ અને આરસીએફએલની લોન બુક રૂ. ૧૬ હજાર કરોડ જેટલી છે. બંનેનું રેટિંગ ડાઉન ગ્રેડ થતાં ડેબ્ટ માર્કેટમાં બોરોઇંગ કોસ્ટ વધી શકે છે.