એક સમયે ઉદ્યોગ ક્ષેત્રમાં માંધાતા અનિલ અંબાણી લાંબા સમયથી દેવા હેઠળ દબાયેલા છે, જોકે હવે આ દેવું ઓછું કરવા માટે અંબાણીએ વિવિધ સબ્સિડરી કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચવા કાઢ્યો છે.
દેવાના બોજ તળે દબાયેલી અનિલ અંબાણીની રિલાયન્સ હવે પોતાની સબ્સિડરી વેચવા જઈ રહી છે ને તે માટે વિવિધ બોલીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ સબ્સિડરીમાં રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ અને રિલાયન્સ નિપ્પન લાઈફ ઇન્સ્યોરન્સ જેવી કંપનીઓ સામેલ છે. કંપની પોતાના દેવા માટે 20 હજાર કરોડ રૂપિયા ઓછા કરવામાં માટે આ વેચાણ કરવાની તૈયારી કરી છે.
કેટલીયે કંપનીઓમાંથી સંપૂર્ણ હિસ્સો વેચી કાઢશે
નોંધનીય છે કે PTIના સૂત્રોના અનુસાર રિલાયન્સ કેપિટલ કંપનીએ પોતાની સબ્સિડરી કંપનીનો બધો જ અથવા તેમાં આંશિક ભાગીદારી વેચવા માટે આમંત્રણ (EOI) આપવામાં આવ્યા છે. દેવું ઘટાડવા માટે કંપનીએ નિર્ણય કર્યો છે.કંપની રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સથી છૂટકારો મેળવવા માંગે છે જ્યારે રિલાયન્સ નીપ્પન લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી 51 ટકા હિસ્સો વેચવા માંગે છે.
આ સિવાય કંપનીનો ઈરાદો છે કે રિલાયન્સ સિક્યુરિટીઝ અને રિલાયન્સ ફાઈનેન્શીયલ લિમિટેડમાંથી પણ 100એ 100 ટકા હિસ્સો વેચી દેવામાં આવે. રિલાયન્સ અસેટ રિકન્સ્ટ્રકશનમાંથી 49 ટકા હિસ્સો જ્યારે ઇન્ડિયન કમોડીટી એક્સચેન્જમાંથી પોતાનો 20 ટકા હિસ્સો પણ વેચી દેવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ સિવાય કંપની રિલાયન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ તથા નાફા ઇનોવેશન પ્રાઈવેટ લિમિટેડ અને પેટીએમમાંથી પણ બહાર નીકળી જવા માંગે છે.