અંતમાં મુસીબતના સમયમાં ભાઇએ જ ભાઇની મદદ કરી. દેવામાં ડુબેલી રિલાયન્સ કોમ્યુનિકેશને એરિક્સનને 550 કરોડ રૂપિયાની ચૂકવણી વ્યાજ સહિત કરી દીધી છે. જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા અવગણનાના આરોપમાં અનિલ અંબાણી જેલમાં જતા બચી ગયા છે. જો કે આ મુશ્કેલીના સમયમાં અનિલ અંબાણીને મુકેશ અંબાણી અને તેમના ભાભીએ મદદ કરી છે.
એરિક્સનની ચૂકવણી કરવા બાદ અનિલ અંબાણીએ મોટા ભાઈ અને ભાભીનો આભાર માન્યો. અનિલ અંબાણીએ કહ્યું કે સમયસર મદદ કરીને તેમને પરિવારના મજબૂત મૂલ્ય અને પરિવારના મહત્વ પર રેખાંકિત કર્યું છે. હું અને મારો પરિવાર ઘણા આભારી છીએ કે અમે જૂની વાતો પાછળ છોડીને આગળ વધી રહ્યા છીએ અને તેમના આ વ્યવહારથી હું અંદર સુધી પ્રભાવિત થયો છું.
આમ રિલાયન્સ કોમ્યુનિકેશના ચેરમેન અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટની ડેડલાઇન પુરી થવાના એક દિવસ અગાઉ એરિકસનને 550 કરોડ રૂપિયાની ચુકવણી કરી દેતા જેલમાં જતા બચી ગયા છે. આરકોમ દ્વારા સોમવારે જ ટેલીકો ઉપકરણ નિર્માતા સ્વીડિશ કંપની એરિકશનને 458.77 કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે.
આમ, આરકોમના ચેરમેન અનિલ અંબાણીએ સંકટના સમયમાં મદદ માટે પોતાના મોટા ભાઇ મુકેશ અંબાણી, નીતા અંબાણીનો આભાર વ્યક્ત કર્યો છે. અનિલ અંબાણીએ જણાવ્યું કે સંકટના આ સમયે મારી સાથે ઉભા રહેવા બદલ મોટા ભાઇ મુકેશ અને ભાભી નીતાનો આભાર માનું છું. હું અને મારો પરિવાર ખુશ છીએ કે જૂની વાતથી આગળ નીકળા ગયા છીએ અને મોટા ભાઇના આ પગલાથી ખુશ છું.