અનિલ અંબાણીને EDએ સમન્સ પાઠવ્યું છે. યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર કેસ મામલે સમન્સ પાઠવ્યું છે. રિલાયન્સ ગ્રુપ YES બેંકના મોટા લેણદારોમાંથી એક છે. કેસની તપાસ સંદર્ભે આજે અનિલ અંબાણીને ED ઓફિસમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.
અનિલ અંબાણીને EDનું સમન્સ
રાણા કપૂર કેસ મામલે સમન્સ
યસ બેંકના લેણદારોમાંથી એક
YES બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂરની વિરુદ્ધમાં મની લોન્ડ્રિંગના કેસમાં EDએ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીને સમન્સ જાહેર કર્યું છે. તપાસ સાથે જોડાયેલા અધિકારીઓએ સોમવારે આ બાબતે ખુલાસો કર્યો છે. EDના અધિકારીઓએ કહ્યું કે અનિલ અંબાણીને સોમવારે મુંબઈના કાર્યાલયે પૂછપરછ માટે બોલાવ્યા છે. યસ બેંકથી મોટા પ્રમાણમાં રકમ લેનારી કંપનીઓમાં રિલાયન્સ ગ્રૂપની કંપની પણ સામેલ છે. તેનું નેતૃત્વ અનિલ અંબાણી કરી રહ્યા છે.
અનિલ અંબાણીએ આ કારણે હાજર રહેવાની કરી મનાઈ
અનિલ અંબાણીએ હેલ્થના કારણોને આગળ કરીને હાજર રહેવાની મનાઈ કરી છે અને EDની તરફથી નવી તારીખ આપવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ગ્રૂપ પાસે યસ બેંકના 12,000 કરોડ રૂપિયાથી વધારે લેણા છે. યસ બેંક પર આરબીઆઈના નિયંત્રણ બાદ રિલાયન્સ ગ્રૂપને આપવામાં આવેલી લોનને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. આ સમયે અનિલ અંબાણીએ કહ્યું કે યસ બેંકની લોન સંપૂર્ણ રીતે અમારી પાસે સુરક્ષિત છે. અને સંપત્તિ વેચીને પણ અમે લોન ચૂકવીશું.
અનિલ અંબાણીને કેવી રીતે મળી લોન?
મળતી માહિતી અનુસાર અનિલ અંબાણીએ યસ બેંકથી તેમની કંપનીઓ મારફતે લોન લીધી હતી. નિયમો અને શરતોના આધારે એગ્રીમેન્ટ્સની જાણકારી લઈ શકાય છે. કંસ્ટ્રક્શન સેન્ટર માટે અનિલ અંબાણીની કંપનીએ યસ બેંક પાસે મોટા પ્રમાણમાં લોન લીધી હતી. શક્ય છે કે ED તેમને પૂછશે કે આ લોન લેવા માટે તેઓએ કઈ પ્રક્રિયાનું પાલન કર્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ લીધું હતું રિલાયન્સ ગ્રૂપનું નામ
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 6 માર્ચે પ્રેસ કોન્ફરન્સમાં યસ બેંકના મોટા લેણદારોના નામ જાહેર કર્યા હતા. તેમાં અનિલ અંબાણી ગ્રૂપ, એસ્સલ સમૂહ. આઈએલ એન્ડ એફએસ, ડીએચએફએલ અને વોડાફોન આઈડિયા જેવી દિગ્ગજ કંપનીઓના નામ સામેલ હતા.