દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રામાંથી તેમના દિકરાઓએ રાજીનામાં આપી દીધાં છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જ અનિલ અંબાણીના દિકરા અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણીએ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ તરીકે સામેલ કર્યાં હતા.
અનિલ અંબાણીના દિકરાઓએ કંપનીમાંથી આપ્યાં રાજીનામાં
કંપનીના શેરમાં સોમવારે 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો
6000 કરોડના દેવાના સંકટ સામે લડી રહી છે કંપની
માત્ર 6 મહિનાની અંદર જ બંને દિકરાઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. કંપની તરફથી 31 જાન્યુઆરીના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ને પત્ર લખી આ અંગેની જાણકારી આપવામાં આવી છે. બંનેના રાજીનામાંની ખબર મળતાની સાથે જ કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરમાં સોમવારે 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
જો કે રિલાયન્સ ઇન્ફ્રા કંપની તરફથી રાજીનામાંને લઇને કોઇ કારણ અથવા બંને ભાઇઓના ભવિષ્યની ભૂમિકાને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. રિલાયન્સ ઇન્ફ્રા સાથે જોડાયા પહેલા અનિલ અંબાણીના મોટા દિકરા અંશુલ ગ્રુપની ફાયનાન્સિયલ સર્વિસ કંપની રિલાયન્સ કેપિટલમાં એક્ઝિક્યૂટિવ ડાયેરક્ટર તરીકે કામ કરતાં હતા.
6000 કરોડના દેવાના સંકટ સામે લડી રહી છે કંપની
2016 ઓગસ્ટમાં જ ગ્રુપમાં જોડાયેલા નાના દિકરા અનમોલને રિલાયન્સ ઇન્ફ્રાના ડિફેંસ પ્રોજેક્ટસને જોવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઇન્ફ્રા પહેલા થી જ 6000 કરોડ રૂપિયાની દેવા હેઠળ દબાયેલી છે. એવામાં અનિલ અંબાણીના બંને દિકરાઓએ અચાનક રાજીનામાં આપવાના સમાચારોએ રોકાણકારોનો ભરોસો વધુ ઓછો થવાની શક્યતા છે.
કંપનીના શેરમાં 91 ટકા જેટલો થયો ઘટાડો
ગત 4 મહીનામાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 28 ટકા ઘટાડો થયો છે. એટલું જ નહીં ગત એક વર્ષની વાત કરીએ તો કંપનીના શેરમાં 91 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.