અનિલે દીકરા અનમોલને લકી ગણાવ્યો હતો. પરંતુ હવે આ કંપની દેવાની જાળમાં ફસાઈ છે.
હવે આ કંપની દેવાની જાળમાં ફસાઈ છે
અનમોલને ગણાવ્યો હતો લકી
‘અનમોલ ઈફેક્ટ’ વધારે દિવસો સુધી ન રહી શકી
હવે આ કંપની દેવાની જાળમાં ફસાઈ છે
રિલાયન્સ ગ્રુપના માલિક અનિલ અંબાણીની અનેક કંપનીઓ દેવામાં ડૂબેલી છે. જેમાંથી એક છે રિલાયન્સ કેપિટલ. જો કે અનિલ અંબાણીએ રિલાયન્સ કેપિટલ માટે દિકરા અનમોલને લકી ગણાવ્યો હતો. પરંતુ હવે આ કંપની દેવાની જાળમાં ફસાઈ છે.
અનમોલને ગણાવ્યો હતો લકી
વર્ષ 2016માં રિલાયન્સ ગ્રુપના માલિક અનિલ અંબાણીએ દીકરા અનમોલનો રિલાયન્સ કેપિટલના નવા ડાયરેક્ટર તરીકે પરિચય કરાવ્યો હતો. આ સાથે અનિલ અંબાણીએ કહ્યું કે અનમોલ પોતાની સાથે સારુ નસીબ લઈને આવ્યો છે. અનિલ અંબાણીએ રિલાયન્સ કેપિટલના શેરની કિંમતનું ઉદાહરણ આપતા કહ્યુ કે બોર્ડમાં સામેલ થયા બાદ કંપનીના શેરની કિંમત 40 ટકા વધારો થયો છે. ત્યારે તેમણે આશા વ્યક્ત કરી હતી કે અનમોલ ઈફેક્ટ આગળ પણ ચાલુ રહેશે.
‘અનમોલ ઈફેક્ટ’ વધારે દિવસો સુધી ન રહી શકી
જો કે અનિલ અંબાણીના દીકરાની ‘અનમોલ ઈફેક્ટ’ વધારે દિવસો સુધી ન રહી શકી. વર્ષ 2017 સુધી જે રિલાયન્સ કેપિટલના શેરનો ભાવ 800 રુપિયાના સ્તર પર હતો તે અત્યારે 10 રુપિયાના સ્તર પર આવી ચૂક્યો છે. ગત વર્ષ એપ્રિલ મહિનામાં કંપનીના શેરના ભાવ 5 રુપિયાથી પણ નીચે ગયા હતા.
ડિસેમ્બરના ક્વાર્ટરમાં કુલ 4018 કરોડનું નુકસાન થયું
આ રીતે જોતા તો રોકાણકારોને 95 ટકા નુકસાન થઈ ચૂક્યુ છે. ત્યારે કંપનીના માર્કેટ કેપિટલની વાત કરીએ તો 260 કરોડની આસપાસ છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની મહત્વની કંપની છે. જેના પર કુલ નાણા બોઝ 20 હજાર કરોડ રુપિયા વધારેનો છે. દેવાના કારણે કંપની વેચાણ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ગત ડિસેમ્બરના ક્વાર્ટરમાં કુલ 4018 કરોડનું નુકસાન થયું છે.
આ કારણે ચર્ચામાં છે અનમોલ
અનમોલનુ શરુઆતનું એજ્યુકેશન મુંબઈના જોન કેનન સ્કુલમાં થઈ. આ બાદ તે બ્રિટનના વારવિક બિઝનેસ સ્કૂલમાં ભણ્યા. તેમણે પોતાના કરિયરની શરુઆત 2014માં રિલાયન્સ મ્યૂચુઅલ ફંડથી કરી અને રિલાયન્સ કેપિટલ બોર્ડ સાથે જોડાઈ ગયા. ગત દિવસોમાં તે એક ટ્વીટના કારણે ચર્ચામાં આવ્યા છે. હકિકતમાં અનમોલ અંબાણીએ લોકડાઉનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. અનમોલના જણાવ્યાનુંસાર લોકડાઉન આપણા સમાજ અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુના હાડકાને નુકસાન પહોંચાડશે. અનમોલે કહ્યુ કે શૂટિંગ, ક્રિકેટ અને નેતાઓને રેલીઓ કરવાની પરવાનગી છે. પરંતુ સામાન્ય લોકોને તેમનું કામ જરુરી નથી.