અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ(ADAG)ના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.
અનિલ અંબાણીના નિર્ણયે સૌને ચોંકાવ્યા છે
અનિલ અંબાણીએ પોતાની 2 કંપનીના ડાયરેક્ટર પદેથી આપ્યું રાજીનામું
રિલાયન્સ પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરે શેર બજારને માહિતી આપી
અનિલ અંબાણીએ ચોંકાવ્યા છે. તેમણે પોતાની 2 કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના આદેશ બાદ તેમણે કોઇ પણ લિસ્ટેડ કંપનીની સાથે જોડાતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના પગલે તેમણે આ પગલું ભર્યું છે.
રિલાયન્સ પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરે શેર બજારને માહિતી આપી
રિલાયન્સ પાવરે BSE ફાઇલિંગમાં કહ્યું કે, અનિલ અંબાણી, બીન-કાર્યકારી ડાયરેક્ટર, સેબી(સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ના અંતરિમ આદેશનું પાલન કરીને રિલાયન્સ પાવરના બોર્ડમાંથી હટી ગયા છે. જ્યારે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જણાવ્યું હતું કે અનિલ અંબાણીએ સેબીના વચગાળાના આદેશના પાલનમાં તેમના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.
ત્યારે એડીએજી સમુહની બન્ને કંપનીઓને કહ્યું કે, આર-પાવર અને આર-ઇન્ફ્રાના ડાયરેક્ટર મંડળે શુક્રવારે રાહુલ સરીને પાંચ વર્ષના કાર્યકાળ માટે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે વધારાના ડિરેક્ટરની નિમણૂંક કરી છે. જોકે આ નિયુક્તિ હજુ સામાન્ય બેઠકમાં સભ્યોની મંજૂરીને આધીન છે.