નવી દિલ્હી: અનિલ અંબાણીએ કંપનીના એક્ટની જોગવાઈનું પાલન કરતા રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લીમીટેડના ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપ્યું છે. કંપનીએ આ અંગેની જાણકારી આપી હતી.
કંપનીના શેર બજારને આપવામાં આવેલી જાણકારી મુજબ અંબાણીએ કંપનીના એક્ટ 2013ની કલમ 165ની જોગવાઈનું પાલન કરતા પોતાના પદેથી રાજીનામુ આપ્યું છે. આ એક્ટ મુજબ કોઈ એક વ્યક્તિ એક જ સમયે 10થી વધુ કંપનીઓના ડાયરેક્ટર ન રહી શકે.
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ નેવલ દેશની સૌથી મોટી કંપની છે. એની માટે યુદ્ધ જહાજ બનાવવાનું લાયસન્સ છે.