આજથી દસ વર્ષ પહેલાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લીસ્ટમાં જેમનું નામ આવતું હતું એવા અનીલ અંબાણીની પરિસ્થિતિ અત્યારે ખુબ નાજુક છે. અનીલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની ટેલીકોમ કંપની લાંબા સમયથી દેવા નીચે દબાયેલી હતી. આ ગ્રુપની ટેલીકોમ કંપની આરકોમ ખરાબ હાલતથી પસાર થઇ રહી છે ત્યારે બીજી તરફ ચીનની ત્રણ બેંકોએ અનીલ અંબાણી વિરુદ્ધ લંડનની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે જ એક હેરાન કરી દે તેવી ખબર સામે આવી. અનીલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધું છે.સવાલ એ છે કે એવા તો શું કારણ હતા જેના લીધે અંબાણી પર આટલું મોટું સંકટ અવી ગયું.
કંપનીના માથે 45 હજાર કરોડથી વધારેનું દેવું છે જેની સામે કંપનીની માર્કેટ કેપ માત્ર 163.17 કરોડ
જેલ જવાથી માંડ માંડ બચ્યા અંબાણી
આરકોમ એ જ કંપની છે જેના લીધે અનીલ અંબાણીને જેલ જવાનો વારો આવ્યો હતો. સ્વીડીશ કંપની એરિક્સને 2014માં અનીલ અંબાણીની કંપનીને સંભાળવા માટે સાત વર્ષની ડીલ કરી હતી.આ દરમ્યાન આરકોમ પર એરિક્સન કંપનીના 500 કરોડ રૂપિયા ઉધાર હતા. અ પૈસા વસુલવા માટે એરિક્સન સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. કોર્ટે આદેશ આપ્યા છતાં આરકોમે એરિક્સનને પૈસા પાછા નાં આપ્યા. આ વાતને કોર્ટે પોતાનું અવમાનના ગણી અને આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આરકોમ ચાર અઠવાડીયામાં ઉધાર પૈસા પાછા ન આપ્યા તો અનીલ અંબાણી સહિતનાં ત્રણ લોકોને જેલની સજા કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટે તેમના પર એક-એક કરોડનો દંડ પણ ફટકાર્યો જોકે બાદમાં મુકેશ અંબાણીએ તેમને મદદ કરી અને જેલ જતા બચાવી લીધાં.
અનીલ અંબાણી માટે સૌથી મોટું સંકટ બની ગયું ટેલીકોમ કંપની આરકોમ.પહેલેથી જ નાદારી પ્રક્રિયાથી પસાર થઇ રહેલી કંપનીને સતત ખોટ થઇ રહી હતી. આરકોમના બીજા ત્રિમાસિકનાં પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જુલાઈ-સપ્ટેમ્બરનાં ત્રિમાસિક ગાળામાં કંપનીને 30,142 કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે. આ કંપની દેવાનાં બોજ નીચે દબાઈ ગયી છે. આ સાથે જ વર્તમાન સમયમાં તેના શેરમાં ભારે પતન જોવા મળ્યું છે. હાલમાં તેનો એક શેર માત્ર 59 પૈસા પર છે. આરકોમ કંપનીની આવક 302 કરોડ રહી ગયી છે. કંપનીના માથે 45 હજાર કરોડથી વધારેનું દેવું છે જેની સામે કંપનીની માર્કેટ કેપ માત્ર 163.17 કરોડ છે.
સુપ્રીમ કોર્ટનાં આદેશ ના કારણે સંકટમાં ટેલીકોમ કંપની
સરકાર દ્વારા વસુલ કરવામાં આવતી AGRના લીધે પણ આરકોમ કંપનીને ઝટકો લાગ્યો હતો. ત્રિમાસિક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની દૂરસંચાર કંપનીના વાર્ષિક એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુની ગણના પર ચુકાદાને ધ્યાનમાં રાખીને કંપનીએ 28,314 કરોડનો નિર્ણય કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે AGR ટેલિકોમ કંપનીથી લેવામાં આવતી લાઈસેન્સ ફીસ છે. આ રકમ વિરુદ્ધ ટેલીકોમ કંપનીઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યાં હતા. જેની સામે સુપ્રીમ કોર્ટે સરકારનો પક્ષ લીધો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એરટેલ અને વોડાફોન-આઈડિયાના ત્રિમાસિક ગાળામાં ખુબ જ નુકસાન થયું છે.