અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ પાવરે કમાલ કરી દીધી છે. કોરોના કાળ વચ્ચે સપ્ટેમ્બરમાં પુરી થયેલ ત્રિમાસિકમાં કંપનીનો નફો બે ગણાથી વધારે થઇ ગયો છે. કંપનીને 105.67 કરોડ રૂપિયાનો નફો થયો છે.
ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિક એટલે જુલાઇથી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ પાવરનો નેટ પ્રોફિટ બેગણાથી વધારે થઇને 105.67 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કંપનીએ ગુરુવારના રોજ શેર બજારને આ અંગેની સૂચના આપી છે.
આ પહેલા નાણાંકીય વર્ષના આ સમયગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ 45.06 કરોડ રૂપિયા હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીની કુલ આવક 2,626.49 કરોડ રૂપિયા રહી. આ પહેલા નાણાંકીય વર્ષના આ સમયગાળામાં કુલ આવકમાં અંદાજે 17.3 ટકાનો વધારો થયો છે.
રોકડ એકઠ્ઠી કરવાનો ભરોસો
ઉલ્લેખનીય છે કે કંપનીની ઉપર ભારે દેવું છે અને આ દેવું તેની કુલ એસેટથી કરતા વધારે છે. કંપનીએ કહ્યું કે ગેસ આધારીત વીજળી સમયસર પાવર પ્લાન્ટ ઉપકરણોનું મુદ્રીકરણ કરે એટલે કે વેચાણ કરી તેને સમયથી ઉચિત અને પર્યાપ્ત રોકડની વ્યવસ્થા કરવાનો ભરોસો છે. કંપની પોતાના કેટલીક બીજી સબસિડીની એસેટ પણ વેચાણ કરશે.
કોરોનાની શુ થઇ અસર
રિલાયન્સ પાવર તરફથી જણાવામાં આવ્યું કે લોકડાઉન દરમિયાન વીજળીની માગમાં ભારે ઘટાડો આવ્યો હતો, ખાસ કરીને ઇંડસ્ટ્રિયલ અને કોમર્શિયલ કંઝ્યૂમર સેગમેંટમાં. પરંતુ લોકડાઉનના પ્રતિબંધ હટાવા માટે વીજળીની માગ સામાન્ય સ્તર સુધી પહોંચી ગઇ.