યસ બેન્ક (Yes Bank)ના સંકટમાં ઘેરાવાને લઇને રિલાયન્સ ગ્રુપની બાકી લોન મામલે અનિલ અંબાણીના નેતૃત્વ વાળા કોર્પોરેટ સમૂહે સ્પષ્ટતા કરી છે. રિલાયન્સ ગ્રુપે એક નિવેદન જારી કરી કહ્યું છે કે યસ બેન્કમાંથી તેમના દ્વારા લેવામાં આવેલી લોન પૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેને વેપારના હેતુથી લેવામાં આવી હતી.
પોતાની સંપત્તિઓને વેચીને મળનારી રકમમાંથી તેઓે આ લોન ચૂકવી દેશે : રિલાયન્સ ગ્રુપ
લોનના સંકટમાં પહેલાથી જ ઘેરાયેલા રિલાયન્સ ગ્રુપે કહ્યું છે કે તે યસ બેન્ક પાસેથી લેવામાં આવેલી લોનને જલ્દી જ ચૂકવી દેશે. પોતાની સંપત્તિઓને વેચીને મળનારી રકમમાંથી તેઓે આ લોન ચૂકવી દેશે.
આ સિવાય યસ બેન્ક (Yes Bank) ના પૂર્વ સીઇઓ રાણા કપૂર અને તેમના પરિવારની સાથે સંબંધોને લઇને ઉઠી રહેલા સવાલોનો પણ રિલાયન્સ ગ્રુપે જવાબ આપ્યો છે. રિલાયન્સ ગ્રુપે કહ્યું છે કે યસ બેન્કના પૂર્વ સીઇઓ રાણા કપૂર, તેમની પત્ની અને પુત્રીઓ અથવા તેમના પરિવાર દ્વારા ચલાવામાં આવતી કોઇપણ કંપની સાથે અમારો કોઇ સંબંધ રહ્યો નથી.
યસ બેન્ક પર ભારતીય રિઝર્વ બેન્કની તરફથી નિયંત્રણ સ્થાપિત કર્યા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે મીડિયા સાથેની વાતચીતમાં સુભાષ ચંદ્રની એસ્સલ ગ્રુપ અને અનિલ અંબાણીના નેતૃત્વ વાળા રિલાયન્સ સમૂહનું નામ લીધું હતું.
નાણા મંત્રીએ કહ્યું હતું કે જે કોર્પોરેટ સમૂહોએ યસ બેન્ક પાસેથી લોન લીધી હતી. તેમાંથી એસ્સલ અને રિલાયન્સ ગ્રુપ પ્રમુખ છે. હાલ રિઝર્વ બેન્કે યસ બેન્કમાંથી એક મહીના સુધી 50,000 રૂપિયા સુધીની રકમ નીકાળવાની મર્યાદા નક્કી કરી છે. દેશના કુલ 10 મોટા કોર્પોરેટ સમૂહોની 44 કંપનીઓ પર યસ બેન્કના 34,000 કરોડ રૂપિયાનું દેવું છે.
તેમાંથી અનિલ અંબાણીના નેતૃત્વ વાળા રિલાયન્સ ગ્રુપની 9 કંપનીઓ પર 12,800 કરોડ રૂપિયાની ચૂકવણી બાકી છે. એસ્સલ ગ્રુપની 8,400 કરોડ રૂપિયાની ચૂકવણી બાકી છે. આ બંને સમૂહો ઉપરાંત ડીએચએફએલ ગ્રુપ, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન, જેટ એરવેઝ, કૉક્સ એન્ડ કિંગ્સ અને ભારત ઇન્ફ્રા સામેલ છે.