અમદાવાદની સિવિલ કોર્ટમાં અનિલ અંબાણીએ પ્રિયંકા ચતુર્વેદીના નિવેદનને લઇને માનહાનિનો કેસ કર્યો હતો. પ્રિયંકા ચતુર્વેદીએ લોકસભા 2019ની ચૂંટણી દરમિયાન પ્રિયંકા ચતુર્વેદીએ નિવેદન કર્યું હતું. ત્યાર બાદ અનિલ અંબાણીએ માનહાનિનો કેસ કર્યો હતો પરંતુ હવે પ્રિયંકા ચતુર્વેદી પરનો કેસ પરત ખેંચ્યો છે.
કોંગ્રેસના પૂર્વ નેતા પ્રિયંકા ચતુર્વેદી પર માનહાનિના કેસ મામલે પ્રિયંકા ચતુર્વેદી માટે રાહતના સમાચાર છે. અનિલ અંબાણીએ પ્રિયંકા ચતુર્વેદી સામેનો માનહાનિનો કેસ પરત ખેંચ્યો છે. અમદાવાદ સિવિલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
અનિલ અંબાણીએ પ્રિયંકાના નિવેદનને લઇને કેસ કર્યો હતો. લોકસભા 2019ની ચૂંટણી દરમિયાન પ્રિયંકા ચતુર્વેદીએ કરેલ નિવેદન અંગે કેસ કર્યો હતો. મહત્વનું છે કે, કોંગ્રેસને તિલાંજલી આપીને પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં જોડાઈ ચુક્યા છે.
મહત્વનું છે કે પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસના પ્રવક્તા હતા. પક્ષમાં નારાજગીને લઇને તેમણે થોડા સમય અગાઉ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે તેઓ શિવસેનામાં સક્રીય છે.